જામનગરમા ૧૪૦૪ આવાસ યોજનાના જર્જરિત બ્લોકનાં ર૪ ફલેટનું ડિમોલીશન

  • September 06, 2024 10:02 AM 

જામનગરમાં ૧૪૦૪ આવાસ યોજનાના બે જર્જરિત બ્લોકનું બાંધકામ તોડી પાડવા માટે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડીમોલિશન  કામગીરી  કરવામાં આવી હતી.


જામનગરમાં અંધાશ્રમ પાસેની ૧૪૦૪ આવાસ યોજનાના મકાનો જર્જરિત બન્યા હોવાથી મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને સમજાવટથી મકાન  ખાલી કરાવાઈ રહ્યું છે અને આજે બે બ્લોકના ર૪ જર્જરિત ફલેટ તોડી પાડવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પાડતોડ કામગીરી  કરવામાં આવી હતી. 


થોડા સમય પહેલા પણ બે બ્લોક ના ર૪ ફલેટ તોડી પાડવા માં આવ્યા હતાં. જ્યારે આજે વધુ ર૪ ફલેટ તોડી પાડવા માં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા ના અધિકારી સુનિલ ભાનુશાળી, અનવર ગજણ સહિત ના દેરખેર હેઠળ પાડતોડ કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application