ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા માંગ

  • September 17, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે. ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ  પ્રતાપ આહિર દ્વારા રંઘોળા જળાશયની મુલાકાતે આવેલા જળસંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને રૂબરૂ રજૂઆત કરી સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવા કાર્યવાહી હાથ ધરવાં જણાવ્યું હતું. 
આ વર્ષે વરસાદનું પ્રમાણ આ વિસ્તારમાં ઓછું રહેતાં ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે, જેથી જો નર્મદા આધારિત યોજના દ્વારા એટલે કે સૌની યોજના અંતર્ગત જળરાશી ભરવાંમાં આવે તો ખેડૂતો માટે હિતકારી રહેશે. આ રજૂઆત વેળાએ આ વિસ્તારનાં અન્ય અગ્રણીઓ પણ સાથે રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application