રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલ આગમાં ત્રણ યુવાનોના મોત થયા હતાં. ત્યારે આ બાબતે યુવા ભીમ સેનાએ આજરોજ પોલીસ કમિશનર અને મ્યુ.કમિશનરને લેખિતમાં રજુઆત કર હતી કે, બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ, મંત્રી, તથા કારોબારી સમિતિના સભ્યો સામે સાપરાધ મનૂષ્યવધનો ગૂન્હો નોંધવા નોટીસ આપીને છટકી જતા રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ સામે બેદરકારી દાખવવા બદલ ગૂન્હો દાખલ કરવા માંગણી કરી હતી.
યુવા ભીમ સેનાના સંસ્થાપક ડી.ડી. સોલંકીએ કહ્યું હતું કે, અમે કરેલી રજુઆતમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, બિગ બઝાર સામે આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં સવારે અચાનક આગ લાગતા રોજેરોજનું કમાઇને જીવતા ત્રણ ગરીબ યુવાનોએ જીવ ગુમાવ્યો છે.
મૃતકોના પરિવારને તાત્કાલિક 50-50 લાખની સહાય આપો
પોતાના દીકરા ગુમાવનાર પરિવારોને તાત્કાલિક અસરથી ૫૦-૫૦ લાખ રૂપિયાની સહાય તેમજ ઘાયલ લોકોને ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુન્હો નોંધાવવામાં આવે.
સખત કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત
આરએમસીએ એનઓસીની બે-બે નોટિસો પછી પણ ભ્રષ્ટાચારના કારણે પ્રતીક્ષા કરી બિલ્ડિંગ સીલ મારવાની જગ્યાએ માત્ર નોટિસોથી સંતોષ માણ્યો. અંતઃ જવાબદાર તમામ અધિકારીઓ અને પદા અધિકારીઓ તથા બિલ્ડરો ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત છે.
કડકમાં કડક પગલાં ભરીને દાખલો બેસાડો
રજુઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધૂળેટીના દિવસે લાગેલ આગમાં બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ, મંત્રી, તથા કારોબારી સમિતિના સભ્યો સામે સાપરાધ મનૂષ્યવધનો ગૂન્હો તથા નોટીસ આપીને છટકી જતા રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ સામે બેદરકારી દાખવવા બદલ ગુન્હો નોંધવા માંગણી કરી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે તાત્કાલિક અસરથી જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરીને દાખલો બેસાડવા રજુઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech