જેમાં જણાવ્યું હતું કે, મેટોડા જીઆડીસી ગેટ નં.2માં શ્રીનાથજી પાર્કમાં રહેતા રાજાભાઈ બાવનજીભાઇ રાઠોડ (ઉ.વ.59) નામના નિવૃત ફૌજી ગત તા.25ના રાત્રીના ઘરે હતા ત્યારે પડોસમાં રાત્રીના સમયે મોટા અવાજે અવિનાશ જોન સહિતના ડીજે વગાડતા હોવાથી તેને ડીજે ધીમું વગાડવા અને કા તો બંધ કરી દેવાનું કહી પ્રૌઢ ઘરે ચાલ્યા ગયા હતા. પાછળથી અવિનાશ, યાજ્ઞિક, ધવલ, કેવલ, ભરત સહિતના શખસોએ ધોકા-પાઇપઅને પથ્થરો વડે નિવૃત ફૌજીના ઘર ઉપર હલ્લાબોલ કરી હુમલો કર્યો હતો. પ્રૌઢ બહાર નીકળતા તેની ઉપર આ શખ્સો ધોકા-પાઇપ વડે તૂટી પડતા ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે પોલીસને જાણ કરી કરતા પોલીસ ફરિયાદીના ઘરે જવાની બદલે આરોપીના ઘરે ગઈ હતી, આ શખ્સો બુટલેગરો અને માથાભારે શખ્સો હોવાથી તેની સામે કડક કાર્યવાહી કરવા અમારી માગણી છે. પોલીસ ગુજરાતમાં દારૂ બંધી છે એ બંધ નથી કરાવી શક્તિ પરંતુ જનતા ઉપર હુમલા ના થાય એટલી તકેદારી રાખે તો પણ ઘણું છે. આવા સખ્સોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેમજ આવનારા દિવસોમાં યોગ્ય ન્યાય નહીં મળે તો ના છૂટકે સામાજિક લેવલે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડશે તેમ પોલીસની કામગીરી સામે પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech