કોર્પોરેટર નૂરમામદ પલેજાએ કમિશનરને લખ્યો પત્ર
રમઝાન મહિનો શરુ થઈ ચૂક્યો છે ત્યારે વૉર્ડ નં.૧માં લાઈટ-પાણી અને સફાઈની સુવિધા તાત્કાલિક કરવાની માંગણી આ વિસ્તારના નગર સેવક નૂરમામદ પલેજાએ મ્યુનિ. કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે.
પત્રમાં જણાવાયું છે કે માધાપર-ભૂંગા વિસ્તાર, મેઈન રોડથી મસ્જિદ ચોક સુધી કાયમી સફાઈની જાળવણી કરવા, માધાપર-ભૂંગામાં નીચાણવાળા વિસ્તારમાં ગટરના પાણી ભરેલાં રહે છે અને ગંદકી દૂર કરવા માંગ છે. જ્યારે ૩૦ ટકા વિસ્તારમાં સ્ટ્રિટ લાઈટ બંધ છે તે ચાલુ કરવાની જરુર છે.
ઉપરાંત જોડિયા-ભૂંગા વિસ્તારમાં ગુલાબશા ડાડાની દરગાહથી મસ્જિદ ચોકથી બેડી બંદર મેઈન રોડ સુધી તેમજ તાજિયા રુટના રોડ પર જુદા જુદા ચોકમાં સફાઈની પરિસ્થિતિ સારી થાય તે માટે કાર્યવાહી કરવા તેમજ આ જ વિસ્તારમાં ર૦ ટકા જેટલાં વિસ્તારમાં સ્ટ્રિટ લાઈટ અને મુખ્ય માર્ગ ઉપર જે ચોક બંધ છે એ ચાલુ કરવા, બેડી વિસ્તારમાં ઢાળિયાથી મસ્જિદ ચોક સુધી, ઈકબાલ ચોકથી રામ મંદિર ચોક, ઈદ મસ્જિદનો વિસ્તાર, દીવેલિયા ચાલી અને ખારીવાળો રસ્તો, ધરારનગર વિસ્તારમાં નવનાલા પાસેથી ઝૂંપડપટ્ટી સ્કૂલ વિસ્તાર, વૈશાલી નગરની તમામ ગલીઓ, ગરીબનગર રોડમાં સફાઈ કરવા, ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવા, બેડેશ્ર્વર મહાદેવ મંદિરથી રસ્તા ઉપર તેમજ પીરની દરગાહથી બેડી ઈદ મસ્જિદ રોડ, દીવેલિયા રોડ પર સ્ટ્રિટ લાઈટ ચાલુ કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech