છેલ્લા પાંચ વર્ષમાં બહત્પમતી હિંદુ વસ્તીની સરખામણીએ મુસ્લિમ, િસ્તી અને શીખ જેવા ધાર્મિક લઘુમતી જૂથોમાં નિયમિત વેતન કર્મચારીઓ તરીકે કામ કરતા લોકોના હિસ્સામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે તેમ તાજેતરના વાર્ષિક પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)નું વિશ્લેષણ જણાવે છે. આ લઘુમતીઓમાં, મુસ્લિમ સમુદાયના કામદારોમાં ૨૦૧૮–૧૯ અને ૨૦૨૨–૨૩ વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
મુસ્લિમ સમુદાયના ૨૨.૧ ટકા કામદારોએ ૨૦૧૮–૧૯માં વેતન કર્મચારીઓ તરીકે કામ કયુ હતું, ત્યારે ૨૦૨૨–૨૩માં આ હિસ્સો ઘટીને ૧૫.૩ ટકા થઈ ગયો હતો, જે ૬.૮ ટકાના ઘટાડાને દર્શાવે છે. તેવી જ રીતે, િસ્તી સમુદાયની વસ્તીના હિસ્સામાં ૩.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, ૨૦૧૮–૧૯માં ૩૧.૨ ટકા િસ્તી કામદારો નિયમિત નોકરીઓ ધરાવતા હતા, જે ૨૦૨૨–૨૩માં ૨૮ ટકા થઇ ગયા હતા. તેમના પછી શીખ સમુદાયની વસ્તીમાં ૨.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૧૮–૧૯માં ૨૮.૫ ટકા શીખ કામદારો પાસે વેતન રોજગાર હતું, ૨૦૨૨–૨૩માં માત્ર ૨૬ ટકા રહ્યું હતું.
ધાર્મિક લઘુમતીઓની સરખામણીમાં બહત્પમતી હિન્દુ સમુદાય માટે રોજગારની ગુણવત્તામાં ઘટાડો સૌથી ઓછો છે. અહીં, ૨૧.૪ ટકા કામદારોએ ૨૦૨૨–૨૩માં નિયમિત પગારવાળી નોકરીઓ કરી હતી, જે ૨૦૧૮–૧૯માં ૨૩.૭ ટકાથી ૨.૩ ટકા ઘટી છે. જોકે આ અભ્યાસનો અર્થ એ પણ કરી શકાય કે સવેતન રોજગારી બધા જ વર્ગમાં ઘટી છે, વધુ ઘટાડો બિનહિંદુઓમાં નોંધાયો છે. એકંદરે, વેતનપગારયુકત રોજગાર ધરાવતા કામદારોનો હિસ્સો ૨૦૨૨–૨૩માં ઘટીને ૨૦.૯ ટકા થયો છે જે ૨૦૧૮–૧૯માં ૨૩.૮ ટકા હતો. અર્થાત ૨.૭ ટકા ઘટાડો રોજગારીમાં નોંધાયો છે.
બાથ યુનિવર્સિટીના વિઝીટીંગ પ્રોફેસર સંતોષ મેહરોત્રાએ જણાવ્યું હતું કે કોવિડ અને કોવિડ પછીની દુનિયામાં કામની ગુણવત્તામાં ઘટાડાને કારણે નિયમિત વેતનની નોકરીઓમાં ઘટાડાની અસર મુખ્યત્વે મુસ્લિમોને સહન કરવી પડી હતી.
શહેરી વિસ્તારોમાં વેતન રોજગારની તકો વધુ છે અને ગ્રામીણ વસ્તી કરતાં શહેરી વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો વધારે છે. અને રોગચાળા પછી, ઉત્પાદન અને સેવાઓ બંને ક્ષેત્રો, જે મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં છે, ગુણવત્તાયુકત નોકરીઓ પેદા કરવા માટે સંઘર્ષ કરવો પડો. ઉપરાંત, આ વર્ષેામાં મુસ્લિમોના શ્રમ દળની સહભાગિતા દરમાં ભાગ્યે જ કોઈ વધારો જોવા મળ્યો છે તેમ તેમણે ઉમેયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech