ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ જવા માટે નવી 5 બસની સેવા શરૂ કરવા લીધો નિર્ણય

  • February 02, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.


એ માટે તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવી ૫ બસ (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.


સુરત તથા રાજકોટ ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બોર્ડર (MP Border) મુકામે કરવામા આવનાર છે. 


અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે.


શરુ થનાર નવી તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. 


પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવેલ છે.


આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજ તા: ૦૨/૦૨/૨૦૨૫ના રોજ સાંજે ૫ કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application