ઈન્ડોનેશિયા દેશના યોગકર્તા શહેરમાં" માનસ સમુદ્રાભિષેક રામકથાનું ગાન ૧૭ ઓગસ્ટથી થઈ રહ્યું છે. રામકથા આઠમા દિવસમાં મોરારિબાપુએ કથાના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુક્રેન રશિયાના યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવા માટેની જે પહેલ કરી છે તેમને આવકાર આપીને બાપુએ પ્રયાસો સફળ થાય તે માટે હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી હતી.
અગાઉ પણ બાપુએ વિશ્વમાં ચાલી રહેલી અશાંતિ અને યુદ્ધો માટે ચિંતા વ્યક્ત કરતા ભાવ, સંવાદથી સૌને આગળ વધવા માટે અનેક વખત અપીલ કરી છે. યુનોની કથામાં પણ આ વાત પ્રસ્તુત કરી હતી અને ફરી ઈન્ડોનેશિયામાં પણ બાપુએ કહ્યું કે આપણે યુક્રેન અને રશિયાની સરહદ ઉપર શાંતિ માટે કથા કરવા પણ તૈયાર છીએ. વિશ્વ કલ્યાણ એ ધર્મનો ભાગ છે. કથામાં બાપુએ જીવનની ઘણી સુત્રાત્મક વાતોને વણી લેતાં કહ્યું હતું કે ગીતાપાઠ એ આપણને દુર્યોધન વૃત્તિથી બચાવે છે. શાંતિ પમાડે તે સત્સંગ, ગણવેશ નહીં પરંતુ ગુણવેશ જરૂરી છે. યુવાન ભાઈ બહેનોએ યોગ્ય વર માટે ક્લયાઓએ ગૌરી વ્રત અને યુવાનોએ ગુરુપૂજન કરવું જોઈએ. સત્યનો નિર્ણય બાધા બનતો નથી.વિષમ પરિસ્થિતિ જ વિષ છે અને મહાદેવ જ આવું વિષ પી શકે. રામકથાના દિવસે ડો. દિનુ ચુડાસમાના બે પુસ્તકોનું અને ડો.નીતિન વડગામા સંકલિત ’રામકથા" દશરથ" તથા "મીનાક્ષી" નું વિમોચન બાપુએ કહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech