ખારાબેરાજા પાસે રોડમાં ભુંડ આડે આવતા બાઇકચાલકનું મૃત્યુ

  • July 06, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રખડતા પશુઓના કારણે વધુ એક માનવ જીંદગીનો ભોગ લેવાયો



જામનગર સહિત જીલ્લામાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે ત્યારે રસ્તા પર પશુઓ આડા આવવાના કારણે સર્જાતા અકસ્માતમાં વધુ એક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે, વાયુનગરના વેપારી યુવાન બાઇક પર પસાર થતા હતા ત્યારે ખારાબેરાજા રોડ પર આડે ભુંડ આવતા પોલમાં અથડાતા યુવાનનું મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.


મળતી વિગત મુજબ જામનગરના વાયુનગરમાં રહેતા ધારાભાઇ ધાનાભાઇ મસુરા (ઉ.વ.30) નામના વેપારી યુવાન ગઇકાલે ખારાબેરાજા ગામે આવેલી તેમની વાડીએથી મોટરસાયકલમાં બેસીને ઘરે આવતા હતા ત્યારે ખારાબેરાજા-ઢીચડા રોડ પર મોટરસાયકલને આડે ભુંડ આવતા બાઇક પરનો કાબુ ગુમાવી દીધો હતો.

દરમ્યાન રસ્તાની બાજુમાં આવેલ ઇલેકટ્રીક સિમેન્ટના પોલમાં માથુ ભટકાતા ગંભીર ઇજા સબબ યુવાનનું મૃત્યુ થયુ હતું, આ બનાવની જાણ ઢીચડા વાડી વિસ્તારમાં રહેતા આસયારભાઇ મસુરા દ્વારા બેડી મરીન પોલીસમાં કરવામાં આવતા  પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા ઢોર, શ્ર્વાન આડે આવવાથી અગાઉ નાના મોટા અકસ્માતના બનાવ બની ચુકયા છે વધુ એક બનાવ સામે આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application