બીપી, ડાયાબીટસ, એક્યુપ્રેશર, દાંતની તપાસ થશે
જામનગરના શ્રી ગાયત્રી શક્તિપીઠ તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ (રાજકોટ) ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે શ્રી સદ્દગુરુ સુપર મેગા નેત્રમણિ નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) નું આયોજન તા. ૫-૨- ૨૦૨૪ (શુકર્વાર) ના સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન ગાયત્રી શક્તિપીઠ, ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શરૂસેક્શન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ નેત્રયજ્ઞમાં સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોક્ટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આંખનો રોગોનું નિદાન કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ વિનામૂલ્યે નેત્રમણિ પણ બેસાડી આપવામાં આવશે જ્યાં દર્દીઓને રહેવા,
જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા પછી દર્દીને ગાયત્રી શક્તિપીઠ-જામનગરમાં કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ રાજકૌટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુ:ખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સાવરાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. ઉપરાંત દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ તથા ડો. વૈશાલીબેન વાજા તેમની સેવા આપશે. ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech