રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી નોંધણીની તારીખ લંબાવાઈ, 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ

  • October 16, 2023 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદીની નોંધણીની મુદત લંબાવાઈ છે. ટેકાના ભાવે ખરીદીની નોંધણીની તારીખ 31 ઑક્ટોબર સુધી લંબાવાઈ છે.




ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદીની નોંધણીની મુદત લંબાવાઈ છે. જેમાં ખેડૂતો તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application