ચાંદીપુરા વાયરસનો ચેપ ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ફેલાયો છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મોત થયા છે. જોકે હજુ સુધી વાયરસની પુષ્ટિ થઈ નથી. બે બાળકો ગંભીર રીતે બીમાર છે. બંને બાળકો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસમાં તાવ હોય છે, જેના લક્ષણો ફ્લૂ જેવા હોય છે. જેના કારણે મગજમાં સોજો આવે છે. આ વાયરસ મચ્છર, માખીઓ અને જંતુઓ દ્વારા ફેલાય છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુર ગામમાં વર્ષ 1966માં 15 વર્ષ સુધીના બાળકોના મોત થવા લાગ્યા હતા. આ મૃત્યુ વાયરસના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું.
સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે તમામ છ બાળકોના લોહીના નમૂના પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે. પરિણામોની રાહ જોવાઈ રહી છે.
નિષ્ણાંતોએ આ શંકા કરી વ્યક્ત
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 10 જુલાઈના રોજ ચાર બાળકોના મોત બાદ આ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોને શંકા હતી કે આ બાળકોના મોત ચાંદીપુરા વાયરસના કારણે થયા છે. હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું લાગી રહ્યું છે.
હોસ્પિટલમાં દાખલ બંને બાળકો રાજસ્થાનના
અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાના અને બે પડોશી અરવલી જિલ્લાના હતા. એક બાળક રાજસ્થાનનો હતો. હોસ્પિટલમાં દાખલ બંને બાળકો પણ રાજસ્થાનના છે. ગુજરાતના આરોગ્ય અધિકારીઓએ રાજસ્થાનના અધિકારીઓને આ અંગે એલર્ટ કરી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIAS ઓફિસર ટીવી સોમનાથન મોદી સરકારમાં બન્યા કેબિનેટ સેક્રેટરી, રાજીવ ગૌબાનું લેશે સ્થાન
August 10, 2024 07:41 PMરાજકોટ એઇમ્સમાં વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબનું ઉદ્ઘાટન, 28 પ્રકારની થશે તપાસ
August 10, 2024 07:36 PMધારી વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી
August 10, 2024 07:34 PMરાજકોટ પર મેઘમહેર નહીં થતાં 750 MCFT નર્મદાના નીર આપવાની માંગ
August 10, 2024 07:33 PMજામનગરની દિગ્જામ લીમીટેડ કંપનીમાં નિવૃત્તિ યોજનામાં સુખદ સમાધાન
August 10, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech