દિલ્હીવાસીઓના શ્વાસ પર ખતરો! ફરી આફત બનવા જઈ રહ્યો છે પરાલીનો ધુમાડો

  • September 30, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હીના લોકો માટે ફરી એક વાર પરાલીનો ધુમાડો સમસ્યા બનવા જઈ રહ્યો છે, પરંતુ પાછલા ચાર વર્ષમાં પરાલી બાળવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હરિયાણા અને પંજાબના કેટલાક જિલ્લા હજુ પણ આ મામલે નિયંત્રણની બહાર છે.


કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અનુસાર, વર્ષ 2020માં પરાલી બાળવાની કુલ 87 હજાર 632 ઘટનાઓ નોંધાઈ હતી. તેની સરખામણીમાં વર્ષ 2023માં 39 હજાર 186 બનાવો નોંધાયા હતા. એટલે કે છેલ્લા ચાર વર્ષમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો થયો છે. 2022 ની તુલનામાં પંજાબમાં 2023 માં 27 ટકા અને હરિયાણામાં 37 ટકા ઘટાડો થયો હતો.


પંજાબના ત્રણ અને હરિયાણાના પાંચ જિલ્લા એવા હતા જ્યાં વર્ષ 2022 ની સરખામણીમાં 2023 માં પરાલી  સળગાવવાની ઘટનાઓ વધી હતી. જેમાં પંજાબના અમૃતસર, સાસ નગર અને પઠાણકોટ જિલ્લાનો સમાવેશ થાય છે જ્યારે હરિયાણાના રોહતક, ભિવાની, ફરીદાબાદ, ઝજ્જર અને પલવલનો સમાવેશ થાય છે. આ આઠ જિલ્લાઓમાં પરાલી સળગાવવાની ઘટનાઓ અટકાવવી આ વખતે પણ એક પડકાર બની શકે છે.


આ કારણે આ વખતે આ આઠ જિલ્લાઓ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. અહીં લોકોને જાગરૂક બનાવવાની સાથે સાથે પરાલી  મેનેજમેન્ટની અન્ય પદ્ધતિઓ વિશે જણાવવા સાથે ફરજિયાત પગલાં ભરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.


15 ઓક્ટોબર અને 25 નવેમ્બરની વચ્ચે મોટાભાગની પરાલી બળી જાય છે

જો કે પંજાબ અને હરિયાણાના ખેતરોમાં ડાંગરની કાપણી પછી જ ખેતીના પરાલી ને બાળવાનું શરૂ થાય છે, પરંતુ 15 સપ્ટેમ્બર પછી તે ઝડપથી વધવા લાગે છે. જો કે, 15 ઓક્ટોબરથી 25 નવેમ્બર દરમિયાન પરાલી  સળગાવવાના સૌથી વધુ બનાવો બને છે. આ દરમિયાન દિવાળીનો તહેવાર પણ આવે છે અને પવનની ગતિ ઘણી ધીમી થઈ જાય છે. ધૂળ અને દિવાળીનો ધુમાડો મળીને પ્રદૂષણની સ્થિતિને જોખમી બનાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application