ઉપલેટામાં છેલ્લા કેટલાંક વર્ષેાથી અકસ્માત નિવારણ માટે તેમજ બેફામ દોડતા વાહનો ઉ૫ર અંકુશ મુકવા માટે દરેક વિસ્તારમાં સ્પીડબ્રેકર બનાવવામાં
આવેલ છે.
અકસ્માત થતાં અટકાવવા તેમજ બેફામ દોડતા વાહનો ઉપર અંકુશ મુકવાના હેતુથી રસ્તા ઉપર જયાં જયાં જરૂર પડે ત્યાં ત્યાં સ્પીડબ્રેકર બનાવવા જરૂરી છે. તેમાં કોઇ વાંધો હોઇ શકે નહીં અને હોય તો તે યોગ્ય પણ નથી. પરંતુ સ્પીડબ્રેકર કેવા હોવા જોઇએ તે બાબતેનો અભ્યાસ જ્ઞાન અને જાગૃતતા હોવી જરૂરી છે. સ્પીડબ્રેકર કેવા બનાવવા તેની ઉંચાઇ–પહોળાઇ કેવી રીતે રાખવી તેની સમજણ આપ્યા વિના જૂદી જૂદી જગ્યાએ કોઇપણ જાતના સુપરવિઝન વિના સ્પીડબ્રેકર મુકી દેવા કે મૂકી દેવાનો હુકમ કરી દેવો તે કેટલા અંશે યોગ્ય અને વ્યાજબી છે તેવા સવાલ તો ઉપસ્થિત થાય જ સ્પીડબ્રેકરની સાઇઝથી નાના–મોટા વાહનો ચલાવનારને વાહનની ગતિ ધીમી પાડવાને બદલે વધારે નુકશન કે તકલીફ ન થાય તે પણ વિચારવું જોઇએ અને તે રીતેનો વિચાર–અભ્યાસ કર્યા બાદ તે રીતના સ્પીડબ્રેકર બનાવવા જોઇએ. નવા નવા વધારાના સ્પીડબ્રેકર જેવા કે મંડપ રોડ જૂના પોરબંદર રોડ ઉ૫ર વિગેરે જગ્યાએ બનાવવામાં આવેલ છે. તેવા સ્પીડબ્રેકરને કારણે વાહનચાલક વાહન ઉપરથી પડી જાય તેમજ વાહનોની અવરજવર અટકી પડે તેવી સ્થિતિ ઉભી થયેલ છે તો યોગ્ય કરવા પાલીકાના પૂર્વ પ્રમુખ છગનલાલ સોજીત્રાએ રજૂઆત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech