રેમલ વાવાઝોડાને કારણે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં 6 લોકોના મોત, 29 હજારથી વધુ ઘરોને નુકસાન

  • May 27, 2024 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેમલ વાવાઝોડાને કારણે છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કોલકાતામાં દિવાલ ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને દક્ષિણ-24 પરગણામાં ઝાડ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. પૂર્વા બર્ધમાનમાં બે લોકોના મોત થયા છે. વીજળી પડવાથી બંનેના મોત થયા હોવાનું સામે આવ્યું છે.


રેમલ વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં લેંડફોલ થયું હતું. 135 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે, ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું હતું. આ દરમિયાન ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ચક્રવાતી તોફાન 'રેમલ' એ તબાહીના ઘણા નિશાન છોડી દીધા છે. વાવાઝોડાને કારણે જાનહાનિ પણ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ગંભીર ચક્રવાત રેમલને કારણે થયેલી અસર અંગે પણ એક અહેવાલ સામે આવ્યો છે. ચક્રવાત રેમલે 26 મેના રોજ રાત્રે 10.30 વાગ્યે લેન્ડફોલ થયુ હતું. આ સિવાય કોલકાતા, હાવડા, હુગલી પશ્ચિમ મેદિનીપુરમાં પણ 26મી અને 27મી મેની રાત્રે ભારે વરસાદ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application