કુંભારવાડામાં નીલગાય આવી ચડતા લોકોમાં કુતુહલ ફેલાયું

  • February 12, 2024 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અચાનક એક નીલગાય ભૂલી પડી આવી ચડી હતી. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં કાળીયાર હરણ અને નીલગાય જેવા પશુ પક્ષીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે કુંભારવાડા શહેરના છેવાડામાં આવેલો વિસ્તાર છે. જેના લીધે ભાલ પંથકમાં વસવાટ કરતા પશુઓ અંદર સુધી આવી ચડે છે. ત્યારે શહેરના કુંભારવાડામાં એક નીલગાય અચાનક ભૂલી પડી જતા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘુસી ગઈ હતી. જંગલી પ્રાણીઓ ખોરાક, પાણીનો શોધ માટે છેક શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી જાય છે. ત્યારે વાડી, ખેતરોમા વિચરણ કરનાર નીલગાય રહેણાંક વિસ્તારમા આવી ચડી હતી. જોકે નીલગાયને જોઈને બાળકો અને લોકોમાં કુતુહલ ફેલાયું હતું. અને લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. જયારે પોતાના ઝુંડથી અલગ પડી ગયેલી નીલગાય આમથી આમ ભટકવા લાગી હતી. જોકે નીલગાય અંગે સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરાઈ હતી. ત્યારે વન વિભાગ તાત્કાલિક કુંભારવાડા ખાતે દોડી આવ્યું હતું. અને નીલગાયનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મૂકી મુકવા લઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application