સુરેન્દ્રનગર જિલ્લ ામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થેા વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે જેઓને નસીલા પદાર્થની ખાનગીમાં ખેતી પણ થાય છે, જિલ્લ ા એસઓજી ની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજા નો ઉભો પાક સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રા માહિતી મુજબ ચોટીલા તાલુકામાં ભૌગોલિક રીતે કેટલાક વિસ્તારોમાં નશાકારક ગાંજાની ખેતી અન્ય ખેતી પાકની આડમાં કરવામાં આવતી હોય છે અગાઉ પણ અનેક સીમ વિસ્તારમાંથી ગાંજાની ખેતી ઝડપાયેલ છે જેથી જિલ્લ ાની બ્રાન્ચો સતત ખાનગી રાહે સતત વોચ રાખેલ એસઓજીના પીઆઇ બી. એચ. સિંગરખીયાને ખાનગી રાહે બાતમી મળેલ જાનીવડલા ગામનાં સીમ વિસ્તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષેા થી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદ કુકાભાઇ એ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્ચે વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ છે.
હકિકતનાં આધારે સ્ટાફ સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા ૩૦ જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરેલ હતી કલાકો ની જહેમત બાદ આશરે ૩૬. ૩૦૦ કિ . ગ્રા લીલા ગાંજાનાં . ૩.૬૩ લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને અટક કરેલ હતી
ઝડપાયેલ આરોપીની વધુ પુછતાછ કરતા આ છોડ નું બિયારણ અજાણ્યા સાધુ મારાજ પાસેથી લીધુ હોવાની વિગત જાણવા મળે છે
ચોટીલા પોલીસમાં નાર્કેાટિકસ એકટ મુજબ ગુનો દાખલ કરાવી તપાસ નાની મોલડીનાં પીઆઇ એન.એસ.પરમારને સોંપવામાં આવેલ છે.
ચોટીલા પંથકમાં અનેક લોકો નશાની લત ધરાવે છે ખાસ કરીને ઠાલીયા (કાલા) ના વ્યસનીઓને પરવાન ઇશ્યુ થતા જેઓ આ નશીલા પદાર્થ નું વેચાણ લાયસન્સ ધરાવનારની દુકાને માસિક નિયત કરેલ જથ્થો વેચાતો લેતા હતા પરંતુ સરકારે આ પરવાના પ્રથા રદ કરતા વ્યસની લોકો અન્ય નશીલા પદાર્થ તરફ વળતા ગેરકાયદેસર એવા ગાંજા નું વાવેતર ખાનગીમાં વધતું હોય તેવું અનુમાન સેવાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech