અયોધ્યામાં 23 જાન્યુઆરીએ 5 લાખ ભક્તોએ કર્યા રામલલાના દર્શન

  • January 24, 2024 12:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે અયોધ્યામાં 5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે (23 જાન્યુઆરી) રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. ભક્તોની ભારે ભીડને કારણે થોડીવાર માટે લોકોને બહાર રોકી દેવામાં આવ્યા હતા. જો કે થોડા સમય બાદ લોકોને ફરી રામ મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.


લખનૌથી અયોધ્યા જતી બસો પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મુલાકાતીઓને લઈ જતી બસો આગામી આદેશ સુધી રદ કરવામાં આવી છે. અયોધ્યામાં ભારે ભીડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરોના પૈસા પરત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી જ પ્રતિબંધ છે. ત્યાર બાદ બસ સેવા સામાન્ય થઈ જશે.


રામનગરી અયોધ્યામાં ભક્તોની ભીડ જોઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે (23 જાન્યુઆરી) એરિયલ સર્વે કર્યો હતો. આ પછી સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પહોંચ્યા. આ દરમિયાન મુખ્યમંત્રીએ રામ મંદિરની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ અને વિશેષ ડીજી પ્રશાંત કુમાર હાજર હતા. સીએમ યોગીએ દર્શનની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application