આ ચર્ચાસ્પદ કેસની હકીકત એવી છે કે ચંદુભાઈ ભગવાનજીભાઈ પટેલ દ્વારા પોતે નાગજીભાઈ માવજીભાઈ પટેલના વારસદાર અને વહીવટકર્તા છે અને તેઓ જામનગર પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટની માલિકીની જગ્યા છે. તે પૈકીની જગ્યામાં તેઓ કાયદેસરના ભાડુઆત છે અને કબજેદાર અને ભોગવટેદાર હોય તેથી પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જાતે કે માણસો, એજન્ટ કે મુખત્યાર દ્વારા તેમનો કબજો છીનવે નહિ અને કબજામા હરક્ત, અડચણ કરે કે કરાવે નહિ તેવો દાવો જામનગર સીવીલ અદાલત સમક્ષ દાખલ કરેલ.
સદર દાવો સુનવણી પર આવતા પ્રતિવાદી ટ્રસ્ટ તરફે રોકાયેલ વકીલ ધવલ બી. વજાણી દ્વારા એવી રજૂવાત કરવામા આવેલ કે વાદી ચંદુભાઈ દ્વારા પોતે નાગજીભાઈ ના વારસ કે વહીવટકર્તા હોવા અંગે કોઈ પુરાવો રજૂ કરેલ નથી. કે તેઓ જગ્યાના કબજેદાર હોવા અંગે કોઈ પુરાવો રજૂ કરેલ નથી. તેથી ભારતીય પુરાવા અધિનિયમ તથા બોમ્બે રેન્ટ એકટની કલમો ઘ્યાને લેતા વાદીનો દાવો રદ થવા પાત્ર છે. જે તમામ રજૂઆતો માન્ય રાખી જામનગરના ૪થા એડી. સીનીયર સીવીલ જજ દ્વારા વાદી ચંદુભાઈ ભગવાનજીભાઈ પટેલનો દાવો રદ કરેલ છે.
ઉપરોક્ત કેસમાં પ્રતિવાદી જામનગર પટેલ કેળવણી ટ્રસ્ટ તરફે વકીલ પ્રદિપ પી. દેસાઈ, ધવલ બી. વજાણી, રાધા ડી. મોદી તથા આસિસ્ટન્ટ જાનકી ડી. ભૂત તથા માનસી ફટાણીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech