વારાણસીમાં સાંઈ પ્રતિમા પર વિવાદ, બ્રાહ્મણ સભાએ કાશીના 14 મંદિરોમાંથી હટાવી મૂર્તિ

  • October 01, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





વારાણસીમાં સાઈ બાબાને  લઈને વિવિદ વધતો જાય છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ કાશીના મંદિરોમાંથી સાઈબાબાની પ્રતિમા હટાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કાશીના 14 મંદિરમાંથી સાંઈની મૂર્તિ હટાવવામાં આવી છે.




ત્યાં જ કેટલાક લોકો બ્રાહ્મણ સભાના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કારણે કાશીના મંદિરમાંથી પ્રતિમા હટાવવામાં આવતા હડકંપ મચી ગયો છે.




સાંઈની પૂજાને માનવામાં આવી રહી છે પ્રેતની પૂજા




હકીકતમાં સાંઈબાબાની પૂજાને પ્રેત પૂજા માનીને તેને સનાત વિરોધી બતાવવામાં આવી રહી છે. તેના માટે વારાણસીમાં બ્રાહ્મણ સભાના લોકો મૂર્તિઓ હટાવી રહ્યા છે.  



નોંધનિય છે કે, સનાતન રક્ષક દળના સભ્યો રવિવારે મોટા ગણેશ મંદિર પહોંચ્યા હતા. તેમણે મંદિરમાં સ્થાપિત સાંઈની પ્રતિમાને કપડામાં લપેટી મંદિર પરિસરની બહાર રખાવી હતી. મોટા ગણેશ મંદિરના મહંત રમ્મૂ ગુરુએ કહ્યું કે, જાણકારીના અભાવમાં સાંઈની પૂજા થઈ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application