રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે આપણા શરીરમાં પંચામૃત જેવું કામ કરે છે.તેમાં 5 મસાલાને મિક્સ કરીને ખાવામાં આવે છે, તેથી તેનું નામ પંચામૃત રાખવામાં આવ્યું છે. આ મસાલા શરીરની અનેક ગંભીર સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી પેટ અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને આ વસ્તુઓ વજન ઘટાડવામાં અને ઘણી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આ મસાલા શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
પંચામૃત આ મસાલાઓથી બનેલું છે:
આ પાંચ મસાલાને મિક્સ કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે: મેથી, વરિયાળી, સૂકી કોથમીર, અજમો અને જીરું આ મસાલા પેટ માટે કેવી રીતે અસરકારક છે.
આ પાંચ મસાલાનું એક સાથે સેવન કરવાથી શરીરની ધણી સમસ્યા થાય છે દૂર
મેથી
આયુર્વેદમાં મેથીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે અને બ્લડ સુગરની સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. તેમજ મેથી વાળ માટે ફાયદાકારક છે.
વરિયાળી:
વરિયાળી તમારા શરીરને ઠંડક આપે છે અને ફાઇબરથી ભરપૂર પાચનમાં સુધારો કરે છે, વરિયાળી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
સૂકી કોથમીર:
સુકા ધાણા પેટ માટે પણ ફાયદાકારક છે, તે મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે, જેનાથી સ્થૂળતા ઓછી થાય છે.
અજમો
અજમો ગેસ, એસિડિટી અને બ્લોટિંગની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે. તેનાથી પાચનક્રિયા ઝડપી બને છે. અજામાંનું પાણી સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે.
જીરું:
જીરું પેટ, પાચન અને વજન ઘટાડવામાં અસરકારક છે.
આ મસાલા પેટને લગતી ઘણી સમસ્યાઓમાં અસરકારક છે જેમ કે તે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતની સમસ્યાને પણ નિયંત્રિત કરે છે.
પંચામૃત કેવી રીતે બનાવશો?
આ પાંચેય મસાલા 1-1 ચમચી રાત્રે મિક્સ કરીને કાચની બોટલમાં ભરીને સવારે આ પાણી પીવો. તેને નિયમિત પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech