પથરીની બીમારીમાં આ ફળોનું કરો સેવન, થશે અઢળક ફાયદાઓ

  • August 31, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ લોકોમાં પથરીની સમસ્યામાં વધારો થયો છે. પથરીને કારણે પેટમાં તીવ્ર દુખાવો થતો હોય છે અને યુરીનમાં રશી થાય છે પાણી ઓછુ પીવાને કારણે અને અન્ય કારણોસર પથરી થાય છે. ડૉક્ટર દવાઓ અને ઓપરેશન કરીને પથરી દૂર કરે છે. આ ઉપરાંત, ખાતી-પીતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. જાણો પથરીના દર્દીએ કયા ફળ ખાવા જોઈએ અને કયા ફળ ન ખાવા જોઈએ?

પથરીમાં કયા ફળ ખાવા જોઈએ?

પાણીયુક્ત ફળો

 પથરીના દર્દીઓને શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આમ ડોક્ટર પાણી સીવાય ફળ ખાવાનું કહે છે. જેમાં તરબૂચ, નારિયેળ પાણી, કાકડી જેવા પાણી યુકત ફળોનો સમાવેશ થાય છે. આનાથી શરીરમાં પાણીની કમી નહીં રહે જેનાથી પથરીની સમસ્યા ઓછી થાય છે.

ખાટા ફળો

તમારા આહારમાં વધુ ખાટા ફળોનું સેવન કરો. પથરીથી પીડિત વ્યક્તિએ વધુ માત્રામાં ખાટાં ફળ ખાવા જોઈએ. આ માટે તમે આહારમાં નારંગી, લીંબુ, દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ કરી શકો છો. આને ખાવાથી પથરીમાં ફાયદો થશે.

કેલ્શિયમથી ભરપૂર ફળો

 આહારમાં એવા ફળોની માત્રા પણ વધારવી જોઈએ જેમાં કેલ્શિયમ ભરપૂર હોય. આ માટે દ્રાક્ષ, બેરી, કીવી જેવા ફળો ખાઈ શકો છો. આ ફળો પથરીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

પથરીમાં કયા ફળ ન ખાવા જોઈએ?

જો પથરીની સમસ્યા હોય તો કેટલાક ફળોનું સેવન ઓછું કરવું જોઈએ. આ સિવાય કેટલીક શાકભાજી અને બદામ એવા છે જેને ડાયટમાં સામેલ ન કરવા જોઈએ. જો તમને પથરી હોય તો દાડમ અને જામફળ જેવા ફળો ન ખાવા. આ સિવાય શાકભાજીમાં રીંગણ, ટામેટા અને શક્કરિયા ઓછા ખાઓ અને ડ્રાયફ્રુટ્સનું સેવન ટાળો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application