સિગારેટ–તમાકુ ઉત્પાદનો પર જીએસટી દર વધારીને ૪૦ ટકા કરવાની વિચારણા

  • February 20, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર જીએસટી વધારીને ૪૦% કરવા અને ૨૦૨૬ માં વળતર સેસ સમા થયા પછી વધારાની એકસાઇઝ ડુટી ઉમેરવાની વિચારણા સરકાર કરી રહી છે. હાલમાં, આ ઉત્પાદનો પર ૨૮% જીએસટી અને અન્ય ટેકસ મળીને કુલ ૫૩% ટેકસનો સામનો કરવો પડે છે, જે વિશ્વ આરોગ સંસ્થા દ્રારા ભલામણ કરાયેલ ૭૫% કરતા ઓછી છે. જીએસટી કાઉન્સિલ આગામી બેઠકમાં ભલામણો પર નિર્ણય લે તેવી
શકયતા છે.
છેલ્લા સાત વર્ષેામાં, ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી ) લાગુ થયા પછી, તમાકુ અને ખાંડ–મીઠા પીણાં જેવા હાનિકારક ઉત્પાદનો પર જીએસટી દરમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. આનાથી આ ઉત્પાદનો વધુ સસ્તું બન્યા છે, જેના કારણે તેમના વપરાશને રોકવાના પ્રયાસોને નબળા પડા છે. આ સંદર્ભમાં, મંત્રીઓના જૂથ દ્રારા તમાકુ અને ખાંડ–મીઠા પીણાં પરનો ઉચ્ચતમ જીએસટી સ્તર ૨૮% થી વધારીને ૩૫% કરવાનો પ્રસ્તાવ એક સ્વાગતપાત્ર પગલું છે. જો કે, આ ઉત્પાદનો સાથે સંકળાયેલા જાહેર આરોગ્ય અને નાણાકીય પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે વધુ કર સુધારા જરી છે.
ભારત વૈશ્વિક સ્તરે તમાકુનો બીજો સૌથી મોટો ગ્રાહક છે, યાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના ૨૮.૬% પુખ્ત વયના લોકો અને ૧૩ થી ૧૫ વર્ષની વયના ૮.૫% વિધાર્થીઓ કોઈને કોઈ સ્વપમાં તમાકુનો ઉપયોગ કરે છે. તમાકુ બિન–ચેપી રોગો માટેનું એક અગ્રણી જોખમ પરિબળ છે અને ભારતમાં દરરોજ ૩,૫૦૦ થી વધુ મૃત્યુનું કારણ બને છે. ૨૦૧૭ માં, તમાકુના ઉપયોગ અને સેકન્ડ હેન્ડ ધૂમ્રપાનનો વાર્ષિક આર્થિક બોજ છ૨,૩૪૦ બિલિયન અથવા  ના ૧.૪% હોવાનો અંદાજ હતો – જે તમાકુ કર આવકમાં વાર્ષિક ૫૩૮ બિલિયન કરતાં ઘણો વધારે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application