પીજીવીસીએલ દ્વારા બિલ ન ભરનાના ર૦૬૪ આસામીઓના કનેકશન કટ્ટ

  • March 13, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ ના વીજ ચેકિંગ દરમિયાન રૂપિયા ૨૦.૯૪ લાખની વીજ ચોરી ઝડપાઈ

પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમિ દ્રારકા જીલ્લાના વીજ ગ્રાહકો એ વીજ બીલની રકમ બાકી હોય તેવા ચાહકો સામે ચાલુ માસ માં જ નાણાંની વસુલાત કરવા માટે ખૂબ જ કડકાઈ થી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંગે વિજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ શરૂ આવી છે.
આ ઉપરાંત ગઈકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ ના વીજ ચેકિંગ દરમિયાન રૂપિયા ૨૦.૯૪ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. જેમાં દૈનિક ધોરણે ૨૦૦ થી વધુ ટીમો બાકી રકમની વસુલાત માટે કામગીરી કરી રહેલ છે. ગત ફેબુ ૨૦૨૪ અંતિત પરિસ્થિતિ મુજબ કુલ સાત લાખ ગ્રાહકો પૈકી આશરે એક લાખ જેટલા ગ્રાહક નાં  રૂ. ૭૨ કરોડ વિજબીલ પેટે ભરવાના બાકી રહે છે. વધુમાં ગત ફેબ્રૂઆરી માસ  માં વસુલાતની કામગીરી દરમ્યાન કુલ બાકીદારો પૈકી  ૨૧૧૯૧ ગ્રાહકો દ્વારા વિજ બીલના બાકી રૂ. ૧૧.૦૧ કરોડ ની રકમ ભરપાઈ કરી આપી છે .તેમજ ૨૦૬૪ જેટલા ગ્રાહકો ના બાકી રૂા. ૪.૦૮ કરોડ ભરપાઈ ન થતા તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.
તેમજ હવે પછી ના દિવસોમાં પણ માસ ડિસ કનેકશન ડ્રાઈવ નું આયોજન કરી બાકી રહેલ તમામ બાકીદારોના વિજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે .અને ચાલુ માસમાં રકમ ભરપાઈ ન કર્યો કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વિજ જોડાણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અને ત્યારબાદ જો ગ્રાહકને વિજ પુરવઠો ચાલુ કરાવવા નવું વિજ જોડાણ નો થતો ચાર્જ ભરપાઈ કરી વિજ જોડાણ મેળવવાનું રહેશે.
ગ્રાહકોને બીલ ભરપાઈ કરવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે જાહેર રજા ના દિવસો માં પણ તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ ક્લેક્શન સેન્ટર  માર્ચ-૨૪ દરમ્યાન ચાલુ રહેશે. જે સુવિધાનો બહાળો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તથા  બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમય મર્યાદામાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે. જેથી અંધારપટ થવા થી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માંથી મુક્ત રહી શકાય
વિજ બીલના નાણાં પીજીવીસીએલ ઓફિસના કેશ કલેક્શન સેન્ટર ઉપર તથા ગામડાની ઈ-ગ્રામ પંચાયતમાં ભરપાઈ કરી શકાશે. તફ ઉપરાંત કેશલેસ (ઓનલાઈન) ચુકવણી કરવા અંગે કંપની દ્રારા પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્યમો થી પણ ગ્રાહકો વિજ બીલની ચુકવણી કરી શકે છે .તેમ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ, વર્તુળ કચેરી, જામનગર. ની યાદી માં જણાવાયું છે.
વધુમાં જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલે અને આજે હાલારના બંને જિલ્લાઓ પૈકીના ખંભાળિયા અને જામજોધપુર પંથકમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ બે દિવસ દરમિયાન કુલ રૂ. ૨૦ લાખ  ની પાવર ચોરી ઝડપી લેવામાં આવી છે.
પીજીવીસીએલના કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત ગઈકાલે ખંભાળિયા અને સલાયામાં  કુલ ૧૪ ટીમ દ્વારા વીજ ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.જેમાં ૧૩૪ વીજ જોડાણ  તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૨૦ વીજ જોડાણ મા ગેરરીતિ જણાતાં આવા આસામીઓ ને રૂ. ૧૩.૬૫  લાખ  ના બિલ આપવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સતાપર અને ઉદેપુર વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું ૧૪  ટીમ દ્વારા કરાયેલી કામગીરી  દરમિયાન કુલ ૧૩૮ વીજ જોડાણ  તપાસવામાં આવ્યા હતા એમાંથી ૧૮ વીજ જોડાણમાં ગેરરીતિ  જણાતા આવા આસામીઓને રૂપિયા ૭.૨૯ લાખ ના  વીજ બિલો આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application