૧૫ જિલ્લાના ૧૦૬ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માગણી

  • October 02, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આ વખતના ચોમાસા દરમિયાન રાજયના ૧૫ જિલ્લાના ૧૦૬ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ થવાના પરિણામે ખેતી પાયમાલ થઈ ચૂકી છે. આ ૧૦૬ તાલુકામાં ૧૪૦% થી વધુ વરસાદ થવાના પરિણામે લીલા દુકાળની પરિસ્થિતિ સર્જાય છે આથી કેન્દ્ર સરકાર દ્રારા આ તમામ તાલુકાઓને લીલા દુકાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્રારા કરવામાં આવી છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવેલું પેકેજ ખૂબ જ અપૂરતુ હોવાનું જણાવ્યું છે.
ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટ્રિના સર્વેક્ષણ માટે આવેલી કેન્દ્રીય ટીમના અહેવાલને આધારે કેન્દ્ર સરકારે રાયને ૬૦૦ કરોડ પિયાનું રાહત પેકેજ જાહેર કયુ છે. આ પેકેજ સાવ અપૂરતું હોવાનું જણાવી વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં અતિવૃષ્ટ્રિ જાહેર કરી ખેડૂતોને દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવા માગ કરી છે.
વધુમા તેમણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ગુજરાતના અંદાજે ૧૨ લાખ ખેડૂતોના પ્રીમિયમ પેટે ઉઘરાવેલા ૪૫૦ કરોડ પિયા ખેડૂતોને ૫૨ત ક૨વા જોઇએ. તેમણે ૧૪૦ ટકાથી વધુ વરસાદ વાળા ૧૫ જિલ્લ ાના ૧૦૬ તાલુકામાં લીલો દુકાળ જાહે૨ કરવા જણાવ્યું છે.
અમિત ચાવડાએ કહ્યું કે, હત્પં સરકારે ઉધોગપતિઓના ૧૪.૫૬ લાખ કરોડના દેવાં માફ કર્યા, ૨૫ લાખ કરોડ જતા કયા તો આપત્તિના સમયે ગુજરાતના ખેડૂતોનું એક વર્ષનું ધીરાણ માફ કરવું જોઇએ. અતિવૃષ્ટ્રિ અને કુદરતી આફતો સામે ખેડૂતોને કાયમી રક્ષણ માટે ગુજરાત સરકાર પાક વીમા યોજના શ કરવી જોઇએ. બીમા યોજના બધં કરી ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરાઇ હોવાથી ખેડૂતો આફતના કિસ્સામાં સરકારની મહેરબાની પર નિર્ભર હોય તેવું લાગે છે. ગુજરાત સરકારે આવી આફતો માટે કાયમી પાક વીમા યોજના શ કરવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application