ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અને ચા ની હોટલ ધરાવતા પંકજભાઈ ઉર્ફે પપ્પુ પ્રવીણભાઈ રાઠોડ નામના 32 વર્ષના યુવાને આરોપી વલૈયાભા દેવુભા સુમણીયા (રહે. આરંભડા) પાસેથી આજથી આશરે છ મહિના પહેલા પાંચ ટકાના દરથી રૂપિયા એક લાખ લીધા હતા. જેનું વ્યાજ દરરોજના રૂપિયા 500 લેખે વસૂલાતું હતું.
આ ઉપરાંત ફરિયાદી પંકજભાઈએ અન્ય એક આરોપી જયેશ ઉર્ફે જયલો સાગરભાઈ પંડ્યા પાસેથી રૂપિયા કુલ રૂપિયા 35,000 પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેના દરરોજના રૂપિયા 400 વ્યાજ લઈ જો રૂપિયા આપવામાં મોડું થાય તો ફોન કરીને કડક ઉઘરાણી કરતા હતા.
આટલું જ નહીં, ફરિયાદી પંકજભાઈના પિતા પ્રવીણભાઈએ અન્ય એક આરોપી કરાભા ભઠ્ઠડ (રહે. સુરજકરાડી) પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. જેનું દર અઠવાડિયાનું રૂપિયા 350 વ્યાજ આપતા હતા. આ પછી પણ કટકે-કટકે સાડા ત્રણ લાખ રૂપિયાનું આરોપી દ્વારા પ્રવીણભાઈ પાસેથી રૂપિયા 2,450 દર અઠવાડિયે વ્યાજ લેવામાં આવતું હતું.
આમ, પિતા-પુત્ર પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરવા કરવા સબબ કારાભા ભઠ્ઠડ, વલૈયાભા દેવુભા અને જયેશ સાગરભાઈ પંડ્યા સામે મીઠાપુર પોલીસ મથકમાં ગુજરાત નાણા ધીરધાર એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMજામનગરના લીમડાલાઈનમાં જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ
April 25, 2025 06:59 PMજામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
April 25, 2025 06:52 PMશ્રીનગરમાં ફસાયેલો પરિવાર રાજકોટ પહોંચ્યો, પરિવહનની વ્યવસ્થા તંત્રએ કરી આપી વિનામુલ્યે
April 25, 2025 06:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech