ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ ખાતે ગત સાંજે ચાર શખ્સો દ્વારા બઘડાટી બોલાવી, અહીંના કર્મચારીને બેફામ માર મારીને નુકસાની કરવા સબબ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોરબંદર તાલુકાના કુછડીયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા ભરતભાઈ રામભાઈ ઓડેદરા નામના ૩૪ વર્ષના યુવાન દ્વારા ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા જેઠા ભીમા માયાણી, ગગુ ડાવા માયાણી, ભોજા ભીમા માયાણી તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી ભરતભાઈ ઓડેદરા ગઈકાલે મંગળવારે સાંજના સમયે ખંભાળિયા - જામનગર હાઈવે પર ધરમપુર વિસ્તારમાં આવેલા ટોલનાકા ઉપર ઇમરજન્સી લાઈન પર ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યા સહિત ચાર શખ્સો તેમની મોટરકાર લઈને અહીં આવ્યા હતા.
આ શખ્સોને ફરિયાદી ભરતભાઈએ વાહનો માટે નિયત કરેલી લાઈનમાંથી પસાર થવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈને ઢીકા-પાટુનો માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા બેરીયર માટે લગાડવામાં આવેલા વેસલ સેપરેટરને તોડી નાખી, આનાથી આશરે રૂપિયા ૫૦,૦૦૦ જેટલું નુકસાન કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આમ, આરોપીઓ દ્વારા ટોલ ટેક્સ ન ભરવા બાબતે બોલાચાલી કરી, ઝઘડો કરી, ફરજ પરના કર્મચારીને માર મારીને ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે એક અજાણ્યા સહિત દાતા ગામના ચાર સભ્યો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech