તબીયત સારી: એન્જીયોગ્રાફી સહિતના વિશેષ પરીક્ષણ કરવા માટે આજે સવારે કાર્ડીયાક વેનમાં લઇ જવામાં આવ્યા
જામનગરના કલેકટર બિજલ શાહને બે દિવસ પહેલા મોડી રાત્રે માઇનોર હાર્ટએટેક આવ્યા બાદ તેને તાત્કાલીક અસરથી જી.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તેમની તબીયત સુધારા ઉપર છે પરંતુ વધારાના રિપોર્ટ માટે કલેકટરને જી.જી.હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ કાર્ડીયાક વેનમાં અમદાવાદ વધારાના રિપોર્ટ માટે ગયા છે.
જાણવા મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા જિલ્લા કલેકટર બિજલ શાહને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને તાત્કાલીક અસરથી જી.જી.હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં લઇ જવાયા હતાં જયાં અધિક ડીન ડો.એસ.એસ.ચેટરજી અને જાણીતા કાર્ડીયોલોજીસ્ટ પુજન શાહ દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી, આજે સવારે 8 વાગ્યે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વધુ રિપોર્ટ કરાવવા માટે ખાસ કાર્ડીયાક વેનમાં લઇ જવામાં આવ્યા છે.
ડોકટરોના જણાવ્યા મુજબ તેમની તબીયત ખુબ જ સારી છે, પરંતુ એન્જીયોગ્રાફી સહિતના અનેક પરીક્ષણ કરવા માટે તેઓને અમદાવાદ મોકલવાનું નકકી કરવામાં આવ્યું છે, કલેકટરની તબીયત લથડતા જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કલેકટર કચેરીનો સ્ટાફ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, અધિક કલેકટર ભાવેશ ખેર સહિતના અગ્રણીઓએ કલેકટરની તબીયતની જાણકારી મેળવી હતી. હોસ્5િટલમાં ડીન ડો.નંદીની દેસાઇ, અધિક્ષક ડો.તીવારી સહિતના અધિકારીઓએ સતત કાળજી રાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech