રાજકોટમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાં રાહત

  • March 27, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લઘુતમ અને મહત્તમ તાપમાનના પ્રમાણમાં એક જ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી જેટલા ઘટાડાને કારણે અને ભેજના પ્રમાણમાં વધારો થવાથી ગરમીના મામલે લોકોને રાહત મળી છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે સરકી ગયું છે અને આવું જ વાતાવરણ હજુ આગામી બે દિવસ સુધી રહેશે. બે દિવસ બાદ ફરી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગરમીમાં ઘટાડો થયો હોવા છતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા વાતાવરણ અને ગરમી માટેનું યલો એલર્ટ આગામી તારીખ 29 સુધી યથાવત રાખવામાં આવ્યું છે. જોકે તે સિવાયના વિસ્તારોમાં સવારનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે.


સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ભેજનું પ્રમાણ આજે સવારે રાજકોટમાં ૮૬ ટકા નોંધાયું હતું. આકાશમાં લોઅર લેવલે ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાનમાં ગઈકાલે એક જ દિવસમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો અને ગઈકાલનું મહત્તમ તાપમાન 38.1 ડીગ્રી નોંધાયું હતું. આ તમામ બાબતોને કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે.


વેરાવળમાં 82 પોરબંદરમાં 81 અને કંડલામાં 83% ભેજ આજે સવારે નોંધાયો છે, મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 38 ભાવનગરમાં 34.9 ભુજમાં 37.2 દ્વારકામા 30.1 જામનગરમાં 33.1 કંડલામાં 35.8 નલિયામાં 32.5 રાજકોટમાં 38.1 વેરાવળમાં 30.4 ઓખા અને પોરબંદરમાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ હરિયાણા સહિતના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી તારીખ 29 સુધી તે ચાલુ રહેશે તેમ હવામાન ખાતા દ્વારા જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application