દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ વિરામ: અનેક સ્થળોએ ઉઘાડ નીકળતા રાહત

  • July 26, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં ખેત નુકસાનીનો સરવે કરવા કિસાન સંઘની માંગ



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહ દરમિયાન વરસી ગયેલા અતિ ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી જિલ્લાના તમામ ભાગોમાં મહદ અંશે મેઘવિરામ રહ્યો છે. સૂર્યનારાયણના દર્શન થતા લોકોએ રાહત અનુભવી છે.


સમગ્ર રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકો અતિ ભારે વરસાદના કારણે ભારે ચર્ચામાં આવી ગયો છે. આ સપ્તાહમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવતા ઠેર ઠેર ભારે ખાનાખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ ગઈકાલે જિલ્લાના તમામ ભાગોમાં વરસાદી હતી અને ક્યાંય પણ વરસાદ વરસ્યો ન હતો. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડમાં વરસાદનો 0 ફીગર જાહેર થયો છે. જિલ્લામાં સૌથી વધુ દ્વારકામાં 54, કલ્યાણપુરમાં 50, ખંભાળિયામાં 42 અને ભાણવડમાં સાડા 28 ઈંચ કુલ વરસાદ વરસી ચૂક્યો છે. ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારે ઉઘાડ વચ્ચે તડકો નીકળતા ધરતીપુત્રોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે.


ખેતરોમાં નુકસાનીનું સર્વે કરી, વળતર ચૂકવવા ભારતીય કિસાન સંઘની માંગ


કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કે જે અતિ ભારે વરસાદના કારણે પુર પ્રભાવિત થયા છે અને અનેક ગામોના ખેતરોમાં ધોવાણ તેમજ ઊભા પાકને વ્યાપક નુકસાની થવા પામી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ, પાનેલી, ટંકારીયા, હરીપર, માલેતા, સહિતના ગામો તેમજ દ્વારકાના ગઢેચી, વસઈ, બાટીસા, મોજપ સહિતના જુદા જુદા ગામોમાં ખેડૂતોને વ્યાપક નુકસાની થવા પામી છે. જે અંગેનો સરકાર દ્વારા તાકીદે સરવે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તે માટેની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application