વિશ્વભરમાં મહિલાઓ સામે હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે. મહિલાઓ સામેના બળાત્કારના કેસમાં કોઈ ઘટાડો થયો નથી. ઘણી વખત બળાત્કારનો ભોગ બનેલી મહિલાને સમાજના ઘણા લોકો આ માટે તેના કપડાને જવાબદાર ઠેરવે છે. ત્યારે આ વિચારને ખોટો સાબિત કરવા માટે બેલ્જિયમમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બળાત્કાર પીડિતાઓએ એક પ્રશ્ન પણ પૂછ્યો હતો.
બેલ્જિયમમાં બળાત્કાર પીડિતાના કપડાનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું
સામાન્ય રીતે જૂની વસ્તુઓ અથવા અનોખી વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવે છે પરંતુ આ પ્રદર્શનમાં બળાત્કાર પીડિતાના કપડાં બતાવવામાં આવ્યા હતા. આ એ જ કપડા હતા જે પીડિતાએ એ દિવસે પહેર્યા હતા જ્યારે આ ઘૃણાસ્પદ ઘટના બની હતી, જેને જોઈને ઘણા લોકો ધ્રૂજી ઉઠ્યા હતા. આ કપડાના પ્રદર્શનની સાથે સાથે બળાત્કાર પીડિતાએ એક સવાલ પણ પૂછ્યો હતો ‘આમાં મારો શું વાંક હતો?’ આ અભિયાનને પણ આ જ નામ આપવામાં આવ્યું હતું.
શા માટે આવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું?
સામાન્ય રીતે જ્યારે પણ બળાત્કારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે આરોપીને દોષી ઠેરવવાને બદલે ઘણા લોકો પીડિતાને દોષી ઠેરવે છે અને તેના કપડા પર સવાલ ઉઠાવે છે. મહિલાઓને તેમના કપડા વિશે વારંવાર સવાલ કરવામાં આવે છે કે તેમના ટૂંકા કપડાથી સમાજ પર ખરાબ અસર પડી રહી છે. આ સ્થિતિમાં આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય એવા લોકોની વિચારસરણી બદલવાનો હતો. આ પ્રદર્શનમાં ઘણા એવા કપડાં હતા જે એક મહિલાને સંપૂર્ણપણે ઢાંકી શકે છે. છતાં તેની સાથે બળાત્કારની ઘટના બની હતી. જે દર્શાવે છે કે તેની સાથે બનેલી ઘટનામાં તેનો કે તેના કપડાનો દોષ નથી. આ પ્રદર્શન બેલ્જિયમમાં વર્ષ 2018 માં યોજવામાં આવ્યું હતું, જેણે તેની વિશિષ્ટતાને કારણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech