છોટીકાશીમાં સાંસદ પૂનમબેન માડમ સહિતનાં આગેવાનો દ્વારા મંદિરોમાં સફાઇ

  • January 17, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં ઉપલક્ષ્યમાં દરેક શહેર - ગામમાં મંદિરોમાં સફાઇનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આહ્વાનને પગલે જામનગરમાં પણ સત્તાધીશોએ હાથમાં ઝાડુ લઇ સફાઇ ધર્મસ્થાનોએ શ્રમસેવા કરી હતી. સાંસદ પૂનમબેન, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, વિવિધ નગરસેવકો સહિતનાં આગેવાનો દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં સફાઇ કરવામાં આવી હતી. ત્યાર પછી સાંસદ સહિતનાં મહાનુભાવોએ ભગવાનનાં દર્શનનો પણ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application