શહેરના તમામ ઓવર બ્રિજ અને અન્ડર બ્રિજની સફાઇ; ૧૪.૭ ટન કચરો નીકળ્યો

  • June 04, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તાજેતરમાં નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ શહેરના તમામ ઓવર બ્રિજ અને ઓર્ડર બ્રિજની સફાઈ કરવામાં આવી હતી જેમાં કુલ ૧૪ ટન કચરો નીકળ્યો હતો.વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્રારા વર્ષ–૨૦૧૪માં શ કરાયેલ સ્વચ્છ ભારત મિશન ૧.૦, સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ–૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને કચરા–મુકત શહેરો બનાવવાના ઉદેશય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન–૨.૦ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાયના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્રારા નિર્મળ ગુજરાત ૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. નિર્મળ ગુજરાત ૨.૦ના ભાગપે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૧–૬–૨૦૨૪થી તા.૧૫–૬–૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં આવેલ લાયઓવર, અન્ડરબ્રીજ, બસસ્ટેન્ડ, રેલ્વેસ્ટેશન, રીક્ષા અને ટેક્ષીસ્ટેન્ડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરેલ જેમાં કુલ ૨૫૨ સફાઈ કામદાર મારફત સફાઈ ઝુંબેશ કરેલ જેમા કુલ ૧૪.૭ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application