રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તાજેતરમાં નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ શહેરના તમામ ઓવર બ્રિજ અને ઓર્ડર બ્રિજની સફાઈ કરવામાં આવી હતી જેમાં કુલ ૧૪ ટન કચરો નીકળ્યો હતો.વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્રારા વર્ષ–૨૦૧૪માં શ કરાયેલ સ્વચ્છ ભારત મિશન ૧.૦, સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ–૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને કચરા–મુકત શહેરો બનાવવાના ઉદેશય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન–૨.૦ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાયના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્રારા નિર્મળ ગુજરાત ૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. નિર્મળ ગુજરાત ૨.૦ના ભાગપે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૧–૬–૨૦૨૪થી તા.૧૫–૬–૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં આવેલ લાયઓવર, અન્ડરબ્રીજ, બસસ્ટેન્ડ, રેલ્વેસ્ટેશન, રીક્ષા અને ટેક્ષીસ્ટેન્ડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરેલ જેમાં કુલ ૨૫૨ સફાઈ કામદાર મારફત સફાઈ ઝુંબેશ કરેલ જેમા કુલ ૧૪.૭ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech