સરકારના રાજય પત્રિત અધિકારીઓની સાથોસાથ વર્ગ ત્રણના કર્મચારીઓ અને નાણા વિભાગની ફિકસ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલ વર્ગ–૩ ના તમામ કર્મચારીઓએ પોતાના ૨૦૨૪ ના કેલેન્ડર વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સ્થાવર– જંગમ મિલકત પત્રકો આગામી તારીખ ૩૧ જાન્યુઆરી સુધીમાં ભરી દેવાનો આદેશ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ પરિપત્રમાં જણાવ્યું છે કે વર્ગ ત્રણ ના દરેક કર્મચારીએ કર્મયોગી પોર્ટલ પર ગુજરાત સેવા વર્તુણુક નિયમો ૧૯૭૧ ના નિયમ ૧૯ થી નિયત થયેલી જોગવાઈ મુજબ મિલકતો ફરજિયાત રીતે જાહેર કરવી પડશે. જો આમ નહીં થાય તો ગુજરાત સરકારે તારીખ ૧૪ માર્ચ ૨૦૧૮ ના કરેલા પરિપત્ર મુજબ પગાર અટકાવવા સહિતના પગલાં લેવામાં આવશે.
સરકારની આ સૂચનાના પાલન માટે વર્ગ ત્રણના કર્મચારીઓ સમયસર મિલકતની જાહેરાત કરે તે માટે નિયંત્રણ હેઠળના તમામ અધિકારીઓ અને સંચાલકોના ધ્યાન પર પણ આ બાબત મૂકવામાં આવી છે.
જોકે અત્યાર સુધી તો મિલકતો જાહેર કરવાની બાબત અધિકારીઓ પૂરતી સીમિત હતી પરંતુ સરકારે તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના પરિપત્રથી વર્ગ ત્રણના કર્મચારીઓ અને ફિકસ પગારની નીતિથી નિમણૂક પામેલા કર્મચારીઓ માટે પણ તે ફરજિયાત બનાવી છે.
સરકારની અવારનવારની સૂચના પછી પણ તેનો પૂરતો અમલ થતો ન હોવાથી સરકારે વધુ એક વખત અલ્ટીમેટમ આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech