રાજકોટમાં ધો.10ના વિદ્યાર્થીઓનું કંકુ તિલક અને મોં મીઠું કરાવી સ્વાગત કરાયું, પરીક્ષાર્થીઓના ચહેરા પર સ્મિત રેલાયું

  • February 27, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ છે. ધોરણ 10માં સવારે 10:00 વાગ્યાથી ભાષાના પ્રથમ પ્રશ્નપત્રનો પ્રારંભ થયો હતો અને બપોરે 1-15 વાગ્યા સુધીનો પેપરનો ટાઈમ હતો. બપોરના સત્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર બપોરે 3 થી 6-30 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.


બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી
આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી તમામ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કંકુ તિલક અને મો મીઠા કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બોર્ડની આ પરીક્ષામાં 144 દિવ્યાંગો અને 113 કેદીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. કેદીઓ માટે જેલમાં જ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડની આ પરીક્ષામાં ધોરણ 10 માં 8,92,882 પરીક્ષાથીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ રોકવા માટે બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. 


23 માર્ચે રવિવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે
આજે પરીક્ષાના સ્થળે ફરિયાદ પેટી અને સૂચન પેટી પણ રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોતાની પાસે રહેલી ચીઠ્ઠી ચબરખી કે ચોરીનું અન્ય સાહિત્ય કેન્દ્રની બહારના ભાગે રાખવામાં આવેલ ટોપલીમાં મૂકી દેવા માટે જણાવાયું હતું. સવારે 10 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી પરંતુ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહીમાં વિગતો ભરવા માટે વધારાની 15 મિનિટ પ્રારંભિક તબક્કામાં આપવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી તારીખ 23 માર્ચે રવિવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે


ગુજરાતના 146 પ્રશ્રપત્ર સ્ટ્રોંગમને થ્રી લેયર સુરક્ષા
ઝારખંડમાં પેપર લીક થવાની ઘટના બાદ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સ્ટ્રોંગ રૂમમાંથી થ્રી લેયર સુરક્ષાની સાથે સતત રાઉન્ડ લઈને નજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં છેલ્લી ઘડીની સમીક્ષા દરમ્યાન સૂચના આપવામાં આવી છે.


ઝારખંડમાં બોર્ડની પરીક્ષા દરમિયાન હિન્દી અને વિજ્ઞાન ની પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર લીક બનવાની ઘટનાથી વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે આજથી શરૂ થતી ધોરણ 10 અને 12 ની પરીક્ષા ને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 146 જેટલા સ્ટ્રોંગ રૂમમાં બોર્ડની પરીક્ષા માટેના પ્રશ્નપત્ર મુકવામાં આવ્યા છે. આ તમામ સ્ટ્રોંગ રૂમના ફરતે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના આદેશ કરવામાં આવ્યા છે જેમાં પોલીસ બંદોબસ્ત સીસીટીવી ઉપરાંત અધિકારી સતત રાઉન્ડ લઇ નજર રાખશે. 



માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા શરૂ થાય તે પહેલા રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રશ્નપત્ર સમયસર પહોંચે તે માટે રિહર્સલ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મોટા શહેરોમાં મેટ્રો સહિતના કામો ચાલતા હોવાથી ઝોઙ્ગલ ઓફિસથી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પ્રશ્નપત્ર મોકલી શકાય તે માટે રિહર્સલ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમોડ એકઝામ લેવામાં આવી હતી તેમાં જિલ્લ ા કક્ષાએથી પ્રશ્નપત્રો કેન્દ્રો સુધી મોકલવામાં આવ્યા હોવાથી જરૂર પડશે નહીં પરંતુ અન્ય જિલ્લ ામાં બુધવારે રિહર્સલ કરી પ્રશ્નપત્ર સમયસર પહોંચે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application