યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ મુદ્દે ફોન પે, ગુગલ પે અને કેન્દ્ર વચ્ચે ટકરાવ

  • March 13, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફિનટેક કંપનીઓ માટે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાનો મુદ્દો હવે ચર્ચામાં આવ્યો  છે. યુપીઆઈ માર્કેટ પર ફોન પે અને ગુગલ પે નું નિયંત્રણ છે, સરકારે ચાર્જ કરવાની યોજનાને ફગાવી દીધી છે. જો કે, ફિનટેક કંપનીઓ તેમના નુકસાન અંગે ચિંતા વ્યકત કરી રહી છે.ગુગલ પે અને ફોન પે ભારતના યુપીઆઈ માર્કેટનો લગભગ ૮૦ ટકા હિસ્સો ધરાવે છે.યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાનો મુદ્દો ફિનટેક કંપનીઓ માટે વધતો જતો મુદ્દો બની રહ્યો છે. યુપીઆઈ માર્કેટ પર ફોન પે અને ગુગલ પે નું નિયંત્રણ છે, જો કે સરકારે ચાર્જ કરવાની યોજનાને ફગાવી દીધી છે. જોકે, ફિનટેક કંપનીઓ તેમના નુકસાન અંગે ચિંતા વ્યકત કરી રહી છે.અત્યાર સુધી યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગતો નથી

યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ નથી લાગતો

આ પહેલા પણ યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાના સમાચાર ચર્ચામાં હતા, જેને સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. જોકે, ફરી એકવાર યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લેવાનો મુદ્દો ઉભો થયો છે. ખરેખર, પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધને કારણે ફોન પે અને ગુગલ પે ને ફાયદો થયો છે.આવી સ્થિતિમાં, આ બે યુપીઆઈ પેમેન્ટ એપ ભારતના યુપીઆઈ માર્કેટ પર કબજો કરી રહી છે. આવી સ્થિતિમાં યુપીઆઈ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવાની ચર્ચા ફરી શ થઈ ગઈ છે. જો કે, સરકારે યુપીઆઈ ચાર્જ કરવાની યોજનાને નકારી કાઢી છે.ફોન પે અને ગુગલ પે વર્ચસ્વ જાળવી રાખે છે.ભારતના લગભગ ૮૦ ટકા યુપીઆઈ માર્કેટ પર ગુગલ પે  અનેફોન પેનો કબજો છે.રીઝર્વ બેંકના પ્રતિબધં પછી, પેટીએમના યુપીઆઈ વ્યવહારો ફેબ્રુઆરીમાં ૧.૪ બિલિયનથી ઘટીને ૧.૩ બિલિયન થઈ ગયા, જેનો ફોન પે અને ગુગલ પે એ લાભ લીધો છે

પેટીએમ પેમેન્ટસ બેંકની અમુક સેવાઓ ૧૫ માર્ચ પછી બંધ
પેમેન્ટસ બેંકની ઘણી સેવાઓ માટે ૧૫ માર્ચની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. કેટલીક  ૧૫ પછી સંપૂર્ણપણે બધં થઈ જશે. કેટલીક સેવાઓ ૧૫ માર્ચ, ૨૦૨૪ પછી પણ ચાલુ રહેશે. જેની યાદી અહી પ્રસ્તુત છે. રીઝર્વ બેંકએ પેટીએમ પેમેન્ટસ બેંકની સેવાઓ માટે ૧૫ માર્ચની અંતિમ તારીખ નક્કી કરી છે. કેટલાક ૧૫ માર્ચ પછી સંપૂર્ણપણે બધં થઈ જશે. આ પછી પણ કેટલીક સેવાઓ ચાલુ રહેશે. જેમ કે પૈસા ઉપાડવા, રિફડં અને કેશ બેક, યુપીઆઈ દ્રારા પૈસા ઉપાડવા, ઓટીટી પેમેન્ટ વગેરે શ રહેશે. આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે પેટીએમ પેમેન્ટસ બેંક સાથે જોડાયેલા વોલેટને અન્ય બેંકો સાથે લિંક કરવાની અંતિમ તારીખ ૧૫ માર્ચ નક્કી કરવામાં આવી છે. તેમણે સમયમર્યાદા લંબાવવાની શકયતા નકારી કાઢી હતી.તેમણે કહ્યું હતું કે ૧૫ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને તેને લંબાવવાની કોઈ જર નથી. તેમણે કહ્યું કે પેટીએમ વોલેટના ૮૦–૮૫ ટકા અન્ય બેંકો સાથે જોડાયેલા છે અને બાકીના ૧૫ ટકાને અન્ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સેવાઓ ૧૫ માર્ચ પછી પણ ચાલુ રહેશે

નાણાં ઉપાડ:પેટીએમ પેમેન્ટસ બેંકના વપરાશકર્તાઓ તેમના ખાતા અથવા વોલેટમાંથી હાલની રકમ ઉપાડી શકશે.
રિફડં અને કેશબેક:પેટીએમ પેમેન્ટસ બેંક એકાઉન્ટ તેની ભાગીદાર બેંકમાંથી વ્યાજ, રિફંડ, કેશબેક અને સ્વીપ–ઇન મેળવી શકે છે. યાં સુધી બેલેન્સ રકમ ઉપલબ્ધ હોય ત્યાં સુધી પેટીએમ પેમેન્ટસ બેંક એકાઉન્ટમાંથી ઉપાડ અથવા ડેબિટ ઓર્ડર કરી શકાય છે.
વેપારી ચુકવણીઓ: પેટીએમ પેમેન્ટસ બેંક વોલેટનો ઉપયોગ વેપારી ચુકવણી કરવા માટે થઈ શકે છે. ૧૫ માર્ચ પછી પણ પેટીએમ પેમેન્ટસ બેંક વોલેટ બધં કરી શકો છો. યુઝર પાસે વોલેટ બધં કરીને બેલેન્સને અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ હશે. ફાસ્ટેગ ૧૫ માર્ચ પછી પણ ઉપલબ્ધ રહેશે, બેલેન્સ ખતમ થઈ ગયા પછી, યુઝરને વધુ રકમ ઉમેરવાનો વિકલ્પ મળશે નહીં.
વપરાશકર્તાઓ પાસે યુપીઆઈ અથવા આઈએમપીએસ દ્રારા તેમના પેટીએમ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો વિકલ્પ પણ હશે.
વર્તમાન બેલેન્સનો ઉપયોગ માસિક ઓટીટી ચુકવણી કરીને કરી શકાય છે, જો કે, ૧૫ માર્ચ પછી, તે અન્ય બેંક ખાતા દ્રારા કરવાનું રહેશે.

આ સેવાઓ ૧૫ માર્ચ પછી બંધ

એકાઉન્ટસ માટે ટોપ–અપ, ફાસ્ટેગ અથવા વોલેટ સેવાઓ.
વપરાશકર્તાઓ અન્ય કોઈપણ વપરાશકર્તા પાસેથી પેટીએમ બેંક ખાતામાં નાણાં મેળવે છે.
પગાર અથવા અન્ય સીધા લાભ ટ્રાન્સફર.
પેટીએમ દ્રારા જારી કરાયેલા અન્ય ફાસ્ટેગમાં ફાસ્ટેગ બેલેન્સનું ટ્રાન્સફર







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application