શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર ડિપાર્ચર ફોરકોર્ટ પર કેનોપી પડવાની ઘટના બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે દેશના તમામ એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
દિલ્હી એરપોર્ટ પર પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે સવારે 5 વાગ્યે ટર્મિનલ-1 પર ખૂબ જ દુ:ખદ ઘટના બની હતી. ભારે વરસાદને કારણે ટર્મિનલ 1ની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો.
તેમણે વધુમાં કહ્યું હતુ કે, "હું તમને ખાતરી આપી શકું છું કે આને ખૂબ જ ગંભીર ઘટના તરીકે લેવામાં આવી છે," તેમણે કહ્યું કે માત્ર આ એરપોર્ટ જ નહીં પરંતુ સમગ્ર દેશના તમામ એરપોર્ટની અમે ફરીથી તપાસ કરી રહ્યા છીએ
વાસ્તવમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં કેનોપીનો એક ભાગ પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા.
કેન્દ્રીય મંત્રી નાયડુએ કહ્યું કે, ટર્મિનલ 1 થી જે પણ ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે તેને ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 પર શિફ્ટ કરવામાં આવી છે. ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં ટર્મિનલ 1 થી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર ચેક-ઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથલપથી વિજયની છેલ્લી ફિલ્મ 'થલપથી 69'ની હીરોઈન ફાઈનલ
July 01, 2024 04:51 PMહત્યામાં 302 નહીં, 103... જાણો નવા કાયદામાં કયા ગુના માટે લાગશે કઇ કલમ?
July 01, 2024 04:26 PMગોંડલ નજીક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા અકસ્માત
July 01, 2024 04:00 PMવેરાવળમાં નગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવા
July 01, 2024 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech