શું એઆઈ અને રોબોટસ મનુષ્યો પર હાવી થઇ શકે છે? એક અભ્યાસમાં આવી જ ચિંતાજનક અને ચોંકાવનારી બાબત સામે આવી છે. કોમ્પ્યુટર્સ ઇન હ્યુમન બિહેવિયરમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે બાળકો માણસો કરતાં રોબોટ પર વધુ વિશ્વાસ કરે છે. આટલું જ નહીં, યારે રોબોટસ ભૂલો કરે છે, ત્યારે બાળકો તેમની સાથે સહાનુભૂતિ અનુભવે છે. અભ્યાસમાં ત્રણથી છ વર્ષની ઉંમરના ૧૧૧ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ જાણવા માગતા હતા કે બાળકો કયા ક્રોતોને પસદં કરે છે અને વધુ વિશ્વાસ કરે છે.
સંશોધકોએ તેમના પ્રકાશિત પેપરમાં લખ્યું છે, યારે વિરોધાભાસી પુરાવાઓનો સામનો કરવો પડે છે, ત્યારે બાળકો કોની પાસેથી શીખવાનું પસદં કરે છે? આ માટે, બાળકોને કેટલાક જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા અને તેમને માનવ અને રોબોટસની ફિલ્મો બતાવવામાં આવી હતી, જેમાં તેઓ નવી અને પરિચિત વસ્તુઓ બંનેનું લેબલ લગાવતા હતા. આ લેબલોને જોઈને મનુષ્ય અને રોબોટસની વિશ્વસનીયતાની ચકાસણી કરવામાં આવી હતી. સંશોધકો કોના પર વધુ વિશ્વાસ કરવો તે અંગે બાળકોના વિચારોનું મૂલ્યાંકન કરી રહ્યા હતા. બાળકો માનવીની સૂચનાઓને બદલે રોબોટની સૂચનાઓમાં વધુ રસ દાખવતા હતા. અભ્યાસમાં કેટલીક બાબતો સ્પષ્ટ્ર થઈ. યારે રોબોટસ અને ટેકનોલોજી પર વિશ્વાસ કરવાની વાત આવે છે ત્યારે બાળકોની વિચારસરણી અલગ હોય છે. એવું પણ જોવા મળ્યું હતું કે મોટા બાળકો નાના બાળકો કરતાં રોબોટ પર વધુ વિશ્વાસ કરે છે. સંશોધકોને આશ્ચર્ય થયું કે રોબોટની કઈ વિશેષતા તેને બાળકોની નજરમાં વધુ સારી બનાવે છે. જો કે, સ્પષ્ટ્ર સંકેતો છે કે ભવિષ્યમાં ટેકનોલોજીમાં રસ અને વિશ્વાસ વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech