ગુજરાતના બે IASને વધારોનો ચાર્જ સોંપતા મુખ્ય સચિવ પંકજ જોશી, જાણો કોને ક્યો વધારાનો ચાર્જ સોંપાયો

  • February 03, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિવારે ગુજરાત સરકારમાં નવા નિમાયેલા મુખ્ય સચિવે 68 આઇએએસ અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપ્યા હતા. હવે ગુજરાત કેડરના બે આઇએએસ અધિકારીને વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં એકને સ્પેશિયલ સેક્રેટરીનો ચાર્જ આપવામાં આવ્યો છે. 

શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને બંદર અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે નાણા વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી ટી. નટરાજનને ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ કંપની લી. ભરૂચના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application