રાજયના મુખ્યમંત્રી પટેલ આગામી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ ખાતે કુંભ સ્નાન કરવા જશે. હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ પ્રયાગરાજ માં ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ ૧૪૪ વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા પહોંચ્યા છે આ સાથે ભાજપ શાસિત રાયોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં એક પછી એક હાજરી આપી રહ્યાં છે.
મળતી જાણકારી મુજબ ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કુંભના મેળામાં જશે અને તેઓ ગંગાના ત્રિવેણી સંગમમાં શાહી સ્નાન કરી શકે છે. આ ઉપરાંત તેઓ ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ લેશે. જોકે આ કાર્યક્રમની હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી.
મળતી માહિતી મુજબ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. તેઓ ૩ જી ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, અહીં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે.
મહત્વનું છે કે, દર ૧૨ વર્ષે યોજાતો મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી પરંતુ તે માનવતાને એકતા, શાંતિ અને ભકિતનો સંદેશ પણ આપે છે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે મહા કુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આત્મશુદ્ધિ અને મોક્ષનું દ્રાર છે. મહાકુંભ દરમિયાન દરરોજ સ્નાનનું વિશેષ મહત્વ છે. પરંતુ અમૃત સ્નાન (શાહી સ્નાન) કુંભ મેળાનું મુખ્ય આકર્ષણ છે, જેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech