બિહારમાં બજેટ સેશન દરમિયાન આજે વિધાન પરિષદમાં અનામત મુદ્દે ભારે હોબાળો થયો હતો. જેમાં વિપક્ષના ધારાસભ્યો અનામતના મુદ્દા સાથે ગ્રીન ટીશર્ટ પહેરી ૬૫ ટકા અનામતને ૯મી અનુસૂચીમાં સામેલ કરવાની માગ સાથે હોબાળો કરી રહ્યા હતાં. આ માગનું નેતૃત્વ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી કરી રહ્યા હતાં. એવામાં ફરી એકવાર રાબડી દેવીને ટાર્ગેટ કરતાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જીભ લપસી હતી.
આકરા નિવેદનો અને અવનવી પ્રતિક્રિયાઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અનામત મુદ્દે માગ લઈને આવેલા વિપક્ષને તતડાવ્યો હતો. તેમણે રાબડી દેવીને ટાર્ગેટ કરતાં હદ વટાવી હતી અને તોછડાઈભર્યા વર્તન સાથે કહ્યું કે, 'અરે તુ બેસીજા, આ તારી પાર્ટી નથી, તારા પતિની છે, તા કશું જ નથી. તને તો કઈં સમજણ પણ પડતી નથી. તારા પતિ સત્તા પરથી ઉતર્યા અને તને મુખ્યમંત્રી બનાવતા ગયાં. આ બિચારીને કઈં જ આવડતુ નથી. બધાએ કીધુ કે આ પહેરીને ચાલો અને તે ચાલવા લાગી.'
નીતિશ કુમારે રાબડી દેવીને ટાર્ગેટ કરતાં પ્રશ્ન પૂછયો હતો કે, 'આ બધા જે કરી રહ્યા છે, તે કેમ કરી રહ્યા છે, હત્પં તને પૂછુ છું. શા માટે આ પહેરીને આવી છે. આ તમામ નકામી વસ્તુ છે. બોગસ છે. ઉલ્લેખનીય છે, બિહાર વિધાન પરિષદમાં આજે વિપક્ષના ધારાસભ્યો ૬૫ ટકા અનામતની જોગવાઈને બંધારણની અનુસૂચી ૯માં સામેલ કરવાની માગ કરી રહ્યા છે. જેને લઈને તેઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
બિહારમાં આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પક્ષ–વિપક્ષે તાડામાર તૈયારીઓ શ કરી દીધી છે. મુખ્યમંત્રી સત્તા જાળવી રાખવા માટે સતત વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે. નીતિશ કુમાર અને રાબડી દેવી વચ્ચે અવારનવાર આકરા પ્રહારો જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં જ નીતિશ કુમારે રાબડી દેવી પર નિશાન સાધતા ટીકા કરી હતી. અગાઉ ૨૦ માર્ચે પણ તેમણે વિપક્ષના હોબાળા પર રાબડી દેવીને ટાર્ગેટ કરતાં આરજેડી પર પ્રહારો કર્યા હતા કે, 'યારે તેના પતિની સરકાર હતી, ત્યારે બિહારની શું સ્થિતિ હતી. તેમણે શું કામો કર્યા તે ગણાવો પહેલાં. અમારી સરકાર આવ્યા બાદ બિહારમાં શાંતિ સ્થાપિત થઈ છે. અમે ઘણા કામો કર્યા છે. પતિ જેલમાં ગયા તો તેમના સ્થાને પત્નીને બેસાડતાં ગયા. પરંતુ તેણે પણ કોઈ કામ કર્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવા આવશ્યક
March 29, 2025 12:18 PMજુઓ રતનપરની ઝૂરીઓમાં ફરી લાગેલી આગને ફાયર બ્રિગેડે કઈ રીતે બુઝાવી
March 29, 2025 11:54 AMકોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું: કોઠારીસ્વામી
March 29, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech