રાજકોટ મનપાને રૂા.૧૪૮ કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

  • June 13, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે વધુ એક વખત રાજકોટ ઉપર વરસ્યા હતા અને વિકાસકામો માટે .૧૪૮ કરોડની માતબર રકમ ફાળવી હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ–ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નગરપાલિકાઓ તથા મહાપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાયભરની નગરપાલિકા અને મહાપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે આજે મુખ્યમંત્રીના હસ્તે .૨૧૧૧ કરોડના ગ્રાંટના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ મહાત્મા મંદિર–ગાંધીનગર ખાતે યોજાયો હતો. ઉપરોકત સમારોહમાં રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર દેવાંગ દેસાઇ, શાસક નેતા લીલુબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીના હસ્તે ચેક સ્વીકાર્યેા હતો. .૧૪૮ કરોડ ફાળવતા હવે વિકાસકામો ઝડપથી આગળ ધપશે

શાસક પક્ષના દંડકને ગાંધીનગર સાથે લઇ જતા ન હોય અનેક તર્ક–વિતર્કેા
રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ બે દિવસમાં બે વખત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાતે ગયા છે પરંતુ બન્ને વખતે શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડીયાની હાજરી અપેક્ષિત ન હોય તેવી રીતે તેમને સાથે લઇ જતા ન હોય આ મામલે રાજકારણ ગરમાયું છે તેમજ અનેક તર્ક વિતર્કેા થઇ રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application