જામ્યુકો ફુડશાખા દ્વારા ચેકીંગની કાર્યવાહી

  • February 20, 2024 11:36 AM 

જામનગર મહાનગરપાલીકા ફુડશાખા દ્વારા સપ્તાહ દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ સ્થળોએથી કુલ 50 મિલેટસ ખાદ્ય પદાર્થના નુમાના લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની ડ્રાઈવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ગ્રેઇન માર્કેટ, દાણપીઠ, બારદાનવાલા રોડ, કડીયાવાડ જેવા વિસ્તારમાં માંથી  કુલ 50 મિલેટ્સ ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે  લેબોરેટરી રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા કાલાવડ નાકા બહાર આવેલ સ્લોટર હાઉસ ની સરપ્રાઈઝ વિઝીટ કરી જરી સુચનાઓ આપવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application