જામનગરના પ્રદર્શન મેદાનના મેળામાં બબાલનું પ્રકરણ

  • September 04, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાકા-ભત્રીજા પર હુમલો કરનાર આરોપીએ વળતી ફરિયાદ નોંધાવી


જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં થયેલી બબાલના ના પ્રકરણમાં ઇજાગ્રસ્ત કાકા ભત્રીજા ને માર મારનાર પકડાયેલા આરોપીએ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે કાકા ભત્રીજા સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગજામ સર્કલ પાસે રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો નવીન ભોલાભાઈ પરમારે પ્રદર્શન ગ્રાઉન્ડ ના મેળામાં પોતાના ઉપર તેમજ પોતાના કાકા ઉપર હુમલો કરવા અંગે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી કેમેરા અને વિડિયો ફૂટેજ ની મદદથી હુમલાખોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

જે હુમલા માં સ્વામિનારાયણ નગરમાં રહેતા રાહુલ વિનોદભાઈ જેઠવા નું નામ ખુલ્યું હતું, અને પોલીસ દ્વારા તેની અટકાયત કરાયા પછી રાહુલ જેઠવા એ સામા પક્ષે નવીન ભોલાભાઈ પરમાર તેમજ તેના કાકા પ્રકાશભાઈ પરમાર તથા મુકેશ કાંતિભાઈ કોળી સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સિટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application