આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે આ દિવસે ગુરુઓનું વિશેષ મહત્વ હોય છે. લોકો ગુરુઓની પૂજા કરે છે આશીર્વાદ મેળવે છે. ગુરુઓના આશીર્વાદની સાથે જીવનમાં લક્ષ્મીની પણ જરૂર હોય છે આથી રાશિ પ્રમાણે જાપ કરવાથી લક્ષ્મીનારાયણને પ્રસન્ન કરી શકાય છે. અષાઢ મહિનામાં પૂર્ણિમાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. તેને અષાઢી પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે રાશિ પ્રમાણે મંત્રનો જાપ કરવો શુભ હોય છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે. અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાનું મહત્વ વધુ વધી જાય છે, કારણ કે આ તારીખને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અષાઢી પૂર્ણિમાના દિવસે નદી સ્નાન, લક્ષ્મી નારાયણની પૂજા, વ્રત, સત્યનારાયણ પૂજા અને ચંદ્રને અર્ધ્ય આપવાનું પણ મહત્વ છે. ગુરુ પૂર્ણિમાની સાથે જ હિન્દુ ધર્મનો પવિત્ર માસ શ્રાવણ પણ શરૂ થાય છે. તેથી આ દિવસે પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે મંત્રોનો જાપ કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે. દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા 21 જુલાઈ 2024, રવિવારના રોજ છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે રાશિ પ્રમાણે મંત્રોના જાપ
રાશી | મંત્ર | લાભ |
મેષ | ‘ॐ विष्णवे नमः’ | આ મંત્રનો 108 વાર જાપ કરો |
વૃષભ | ‘ॐ जगन्नाथाय नमः’ | શ્રી હરિના આશીર્વાદ મળશે |
મિથુન | ‘ॐ नारायणाय नमः’ | દેવી લક્ષ્મીને પ્રસન્ન થશે |
કર્ક | ‘ॐ हृषीकेशाय नमः’ | ઈચ્છાઓ પૂરી થશે |
સિંહ | ‘ॐ चक्रपाणये नमः’ | ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળશે |
કન્યા | ‘ॐ हंसाय नमः’ | ભગવાન વિષ્ણુની કૃપા વરસશે |
તુલા | ‘ॐ गोविन्दाय नमः’ | દુઃખમાંથી મુક્તિ મળશે |
વૃશ્ચિક | ‘ॐ श्रीधराय नमः’ | પૂજા કરવાથી પૂર્ણ ફળ મળે છે |
ધન | ’ॐ श्रीमते नमः’ | ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળશે |
મકર | ‘ॐ देवाय नमः’ | આ મંત્ર દ્વારા ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે |
કુંભ | ‘ॐ वामनाय नमः’ | સંપત્તિ અને સુખ પ્રાપ્ત કરવા માટે |
મીન | ‘ॐ रामाय नमः’ | લક્ષ્મીનારાયણની કૃપા મેળવવા માટે 5 માળાનો જાપ કરો |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech