નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘર ભાડા પરના ટીડીએસના નિયમોમાં પણ ફેરફાર કયર્િ છે. સરકારે ઘર ભાડા પર ટીડીએસ મુક્તિની મયર્દિા 2.4 લાખ રૂપિયાથી વધારીને સીધી 6 લાખ રૂપિયા કરી દીધી છે. બજેટ દરમિયાન, નાણામંત્રીએ કહ્યું હતું કે આનાથી ટીડીએસના દાયરામાં આવતા વ્યવહારોની સંખ્યામાં ઘટાડો થશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ નવા નિયમથી કોને વધુ ફાયદો થશે, ભાડૂઆતને કે મકાનમાલિકને?
ધારો કે તમે એક ઘરને વાર્ષિક 2.4 લાખ રૂપિયામાં ભાડે આપ્યું છે. અત્યાર સુધી ભાડૂત તમને ટીડીએસ કાપીને ભાડું ચૂકવતો હતો, જ્યારે હવે એવું નથી. હવે ભાડું ટીડીએસ કાપ્યા વિના ચૂકવવું પડશે. આના કારણે, ભાડાના રૂપમાં તમને મળતી રકમ વધશે. આનાથી મકાનમાલિક અને ભાડૂઆત બંનેને ફાયદો થશે કારણ કે ટીડીએસ પર મુક્તિ મયર્દિા 2.4 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરના ભાડામાં ઝડપથી વધારો થયો છે. અગાઉ, ભાડૂઆતને દર મહિને 20,000 રૂપિયાના ભાડા પર ટીડીએસ કાપવો પડતો હતો, જ્યારે હવે 50,000 રૂપિયા સુધીના ભાડા પર પણ આવું કરવાની જરૂર નથી. આનાથી મહાનગરોમાં ભાડા પર રહેતા લોકોને મોટી રાહત મળશે.
બજેટમાં કરવામાં આવેલા નવા ફેરફારો પછી, હવે જો મકાનોનું વાર્ષિક ભાડું 6 લાખ રૂપિયાથી વધુ હોય, તો ભાડૂઆતે ટીડીએસ કપાત પછી મકાનમાલિકને ભાડું ચૂકવવું પડશે. અહી ઉલ્લેખનીય કે ભાડૂતને ભાડા પર ફક્ત 10 ટકા ટીડીએસ કાપવાની છૂટ છે. જો મકાનમાલિક પાસે તેનું પાન કાર્ડ નથી, તો ટીડીએસ દર વધીને 20 ટકા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech