ચામુંડા માતાજી ડુંગર ઉપર આરતીની જ્યોત દ્વારા પરંપરાગત હોળી પ્રજ્વલિત કરાઇ

  • March 26, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તહેવારોની ઉજવણી દરેક વિસ્તારની અલગ અલગ પરંપરાગત થતી હોય છે તેમા ફાગણસુદ પુનમનાં હોળી (હુતાસણી) નો તહેવાર ચોટીલા પંથકમાં વર્ષોની પ્રણાલીકા મુજબ ચામુંડા માતાજીના ડુંગર ઉપર સાંજની આરતી બાદ ડુંગર ટ્રસ્ટનાં મહંત પરિવાર દ્વારા પ્રગટાવવામાં આવે પછીજ તેની જવાળાઓ જોઇને ચોટીલા શહેરમાં અને તાલુકાનાં આસપાસનાં ગામડાઓમાં આજે પણ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે.
​​​​​​​ 
આ પરંપરા વર્ષોથી ચાલી આવતી રહી છે. તેમજ અનેક સમાજોમાં નાના છોકરાવને હુતાસણીના વર કરવાની રસમ કરવામાં આવે છે તેમા છોકરાઓને વરરાજા જેવો પહેરવેશ પહેરાવી હોળીની ચાર પ્રદક્ષિણા ફેરવવામાં આવે છે અને આવા પરીવારોમાં લગ્ન જેવો માહોલ અને ઉત્સાહ હોય છે.
ચોટીલા ડુંગર ઉપર હોલીકા દહનમાં છાણા, કપુર, શ્રીફળ, ચુંદડી અને માટલીમાં ધાન મુકી આરતી પછી પ્રાગટય કરવામાં આવેલ જેના દર્શનનો લાભ લેવા યાત્રિકોની ભીડ ઉમટેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application