તહેવારોની ઉજવણી દરેક વિસ્તારની અલગ અલગ પરંપરાગત થતી હોય છે તેમા ફાગણસુદ પુનમનાં હોળી (હુતાસણી) નો તહેવાર ચોટીલા પંથકમાં વર્ષોની પ્રણાલીકા મુજબ ચામુંડા માતાજીના ડુંગર ઉપર સાંજની આરતી બાદ ડુંગર ટ્રસ્ટનાં મહંત પરિવાર દ્વારા પ્રગટાવવામાં આવે પછીજ તેની જવાળાઓ જોઇને ચોટીલા શહેરમાં અને તાલુકાનાં આસપાસનાં ગામડાઓમાં આજે પણ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે.
આ પરંપરા વર્ષોથી ચાલી આવતી રહી છે. તેમજ અનેક સમાજોમાં નાના છોકરાવને હુતાસણીના વર કરવાની રસમ કરવામાં આવે છે તેમા છોકરાઓને વરરાજા જેવો પહેરવેશ પહેરાવી હોળીની ચાર પ્રદક્ષિણા ફેરવવામાં આવે છે અને આવા પરીવારોમાં લગ્ન જેવો માહોલ અને ઉત્સાહ હોય છે.
ચોટીલા ડુંગર ઉપર હોલીકા દહનમાં છાણા, કપુર, શ્રીફળ, ચુંદડી અને માટલીમાં ધાન મુકી આરતી પછી પ્રાગટય કરવામાં આવેલ જેના દર્શનનો લાભ લેવા યાત્રિકોની ભીડ ઉમટેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech