કેન્દ્રીય કર્મીઓને એનપીએસ હેઠળ ૫૦ ટકા પેન્શન મળવાની શકયતા

  • June 11, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નરેન્દ્ર મોદી સરકારના નવા કાર્યકાળમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે. સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન લાભોમાં મોટો વધારો કરવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત કર્મચારીઓને પેન્શનના પમાં છેલ્લા બેઝિક સેલરીના ૫૦ ટકા સુધીની ગેરંટી મળશે. જો સરળ ભાષામાં સમજીએ તો નિવૃત્તિ પહેલા કર્મચારીના છેલ્લા બેઝિક પગારના ૫૦ ટકા માસિક પેન્શન તરીકે આપવામાં આવશે.
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન માર્ચ ૨૦૨૩માં નાણા સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી હતી. જૂની પેન્શન સિસ્ટમ (ઓપીએસ) પર પાછા ફર્યા વિના સરકારી કર્મચારીઓ માટે એનપીએસ હેઠળ પેન્શન લાભો વધારવાના માર્ગેા સૂચવવા માટે પેનલની રચના કરવામાં આવી હતી. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે યારે  ઘણા રાયોએ એનપીએસ છોડીને ઓપીએસમાં પાછા ફરવાનું શ કરી દીધું છે.
પ્રા માહિતી મુજબ, પેનલે મે મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. આ અહેવાલ મોટાભાગે ૨૦૨૩માં લાગુ કરાયેલ આંધ્રપ્રદેશ એનપીએસ મોડલને પ્રતિબિંબિત કરે છે. તેને જૂની અને નવી પેન્શન યોજનાનું મિશ્ર મોડલ કહી શકાય. આંધ્ર પ્રદેશ ગેરંટીડ પેન્શન સિસ્ટમ (એપીજીપીએસ) એકટ, ૨૦૨૩ હેઠળ, સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારના ૫૦ ટકા માસિક પેન્શન તરીકે આપવામાં આવશે. આમાં મોંઘવારી રાહત એટલે કે ડીઆરનો પણ સમાવેશ થશે. આ સિવાય મૃતક કર્મચારીના જીવનસાથીને માસિક પેન્શનના ૬૦ ટકા ગેરંટી આપવામાં આવે છે.
નવા પ્રસ્તાવ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા બેઝિક સેલરીના ૫૦ ટકા સુધી પેન્શન ગેરંટી મળશે. બાંયધરીકૃત પેન્શનની રકમને પહોંચી વળવા માટે જરી પેન્શન ફંડમાં કોઈપણ ખામીને કેન્દ્ર સરકારના બજેટમાંથી આવરી લેવામાં આવશે. તેનાથી લગભગ ૮.૭ મિલિયન કેન્દ્ર અને રાય સરકારના કર્મચારીઓને ફાયદો થઈ શકે છે. આ તે કર્મચારીઓ હશે જે ૨૦૦૪થી એનપીએસમાં નોંધાયેલા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application