ભાણવડ ખાતે સંત શિરોમણી પૂ. જલારામબાપાની જન્મજયંતિની લોહાણા સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી, દિવસભરમાં ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક ભાણવડ તેમજ ગ્રામજનો લોહાણા સમાજ ઉપસ્થિત રહ્યા હતા. લોકોની ભીડ ઉમટી પડી હતી.
જલારામ જયંતિને લઇને સવારથી જ લોહાણા સમાજમાં ભારે ઉત્સાહ છવાયો હતો, પ્રારંભમાં પ્રસિઘ્ધ ભગવતી શેરીમાં આવેલ જલારામ મંદિરે 108 દીવડાની મહાઆરતી યોજાઇ હતી. તેમજ બપોરે 3.30 કલાકે બાપાને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શન માટે જલારામ ભાવિકોની ભીડ જામી હતી. બાદમાં સાંજે 4 કલાકે પૂ. જલારામ બાપાની વિરાટ શોભાયાત્રા યોજાઇ હતી, લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઇ રાડીયા, પૂર્વ પ્રમુખ વજુભાઇ પતાણી, હેમંતભાઇ કોટેચા સહિતે નક્કી કરેલા ટ પર વાજતે ગાજતે શોભાયાત્રા ફરી વળી હતી. ચોકે ચોકે લોહાણા સમાજના ભાઇઓ-બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી, શોભાયાત્રા અત્રે જુની લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થતાં જ્યાં ઉપસ્થિત ભાવિકોએ બાપાનો જયઘોષ બોલાવ્યો હતો.
બાદમાં સાંજે લોહાણા સમાજ ખાતે સમુહ પ્રસાદ યોજાયો હતો, કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજન ટ્રસ્ટ, જલારામ યુવક મંડળ સહિતની જ્ઞાતિની સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech