સાવધાન! કોરોનાના જેએન.૧ સબ–વેરિયન્ટનો વ્યાપ વધ્યા

  • January 12, 2024 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના અનેક રાયોમાં ફરી એકવાર કોરોના ફેલાઈ રહ્યો છે. ભારતીય સાર્સ–સીઓવી–૨ જેનોમિકસ કન્સોર્ટિયમ અનુસાર, કોવિડ–૧૯નું જેએન .૧ સબ–વેરિયન્ટ ૧૫ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયું છે અને અત્યાર સુધીમાં ૯૨૩ કેસ નોંધાયા છે. જો કે વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોનાના આકં તેમજ જેએન .૧ સબ–વેરિયન્ટના ઝડપથી થઇ રહેલા પ્રસાર સામે ખાસ નજર રાખી જ રહી છે અને વધતા સંક્રમણ સામે સતર્ક રહેવા ચેતવણી ઉચ્ચારી છે.

દેશમાં કોવિડના કેસોમાં વધારો અને જેએન.૧ સબ–વેરિયન્ટ કેસોના ઉદભવ વચ્ચે, કેન્દ્રએ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા જણાવ્યું છે.એ તેને વિવિધ પ્રકારમાં વર્ગીકૃત કયુ છે, એટલે કે એક સ્વપ કે જેના પર દેખરેખ રાખવાની જર છે, જેના પર નજર રાખવામાં આવી રહી છે.

મળતા ડેટા અનુસાર, કર્ણાટકમાં સૌથી વધુ ૨૧૪, મહારાષ્ટ્ર્રમાં ૧૭૦, કેરળમાં ૧૫૪, આંધ્રપ્રદેશમાં ૧૦૫, ગુજરાતમાં ૭૬ અને ગોવામાં ૬૬ કેસ નોંધાયા છે. માહિતી અનુસાર, તેલંગાણા અને રાજસ્થાનમાં જેએન.૧ ના ૩૨–૩૨ કેસ, છત્તીસગઢમાં ૨૫, તમિલનાડુમાં ૨૨, દિલ્હીમાં ૧૬, હરિયાણામાં પાંચ, ઓડિશામાં ત્રણ, પશ્ચિમ બંગાળમાં બે અને ઉત્તરાખંડમાં એક કેસ નોંધાયો છે.

અધિકારીઓએ કહ્યું કે દેશમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને જેએન .૧ સબ–વેરિયન્ટના કેસો સામે આવ્યા છે, પરંતુ અત્યારે તેના વિશે ચિંતા કરવાની જર નથી. કારણ કે મોટાભાગના લોકો ઘરે જ સારવાર લેવાનું પસદં કરી રહ્યા છે, જે દર્શાવે છે કે ચેપ બહત્પ જીવલેણ નથી.

દેશમાં કોવિડના કેસોમાં વધારો અને જેએન .૧ સબ–વેરિયન્ટ કેસોના ઉદભવ વચ્ચે, કેન્દ્રએ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્રારા સંશોધિત સર્વેલન્સ વ્યૂહરચના માટે વહેંચાયેલ વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકાઓનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા રાયોને વિનંતી કરવામાં આવી છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેના પર સતત નજર રાખી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application